રાજ્યમાં ૨૩૩ પીએસઆઇને પીઆઈનું પ્રમોશન આપવામાં આવ્યાં બાદ તેમજ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશન કે, જ્યાં પીએસઆઇની જગ્યા હતી ત્યાં પીઆઇનું પોસ્ટીંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યાં બાદ જિલ્લામાં પીઆઈની બદલીઓની રાહ જોવાઈ રહી હતી ત્યારે ડીએસપીએ ૧૪ પીઆઇની આંતરીક બદલીના આદેશ કર્યા હતા.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ લીવરિઝર્વમાં રહેલા પી.આઈ. સી.પી.વાઘેલાને ગંગાજળીયા પોલીસ મથકમાં તો ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.ડી. ખાંટની બદલી અલંગ મરીન પોલીસમાં કરવામાં આવી છે. સિહોરના પી.આઇ.એ.બી. ગોહીલની બદલી વલભીપુર ખાતે તો પાલિતાણા સીપીઆઈ જે.કે. ડામોરની બદલી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટમાં કરવામાં આવી હતી.
એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પી.આઈ. આર.ડી. રબારીની બદલી સીપીઆઈ પાલીતાણા કરવામાં આવી હતી. જ્યારે નિલમબાગ પી આઈ આર.ડી. ચૌધરીની બદલી ઉમરાળા પોલીસ મથક ખાતે કરવામાં આવી છે.
લીવ રિઝર્વમાં રહેલા પી.આઈ. એમ..કે. માલવીયાની ગારીયાધાર, એન.એમ. તલાટીની નિલમબાગ પોલીસમાં, બી.એમ. કરમટાની પાલીતાણા ટાઉનમાં, એ.એન. દેસાઈની ઘોઘારોડ પોલીસ મથકમાં, બી.ડી.જાડેજાની સિહોરમાં, પી.એલ.ધામાને તળાજા ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. જ્યારે પીઆઇ એમ.એસ.પઠાને એલઆઇબીમાં અને એન.એચ. કુરેશીને ઇન્વેસ્ટીગેટીવ યુનિટમાં મુકવામાં આવ્યાં હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન ઘર્ષણની પરિસ્થિતિના પગલે જામનગરના પગડિયા માછીમારોની હાલત કફોડી બની
May 13, 2025 01:54 PMધારી : ગેરકાયદેસર મદ્રેસા પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 13, 2025 01:15 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:03 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech