જામનગરના ૧૪ પીએસઆઇની આંતરીક બદલી

  • January 09, 2024 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૩ નવા પીએસઆઇને અપાતી નિમણુંક

જામનગર શહેર, જીલ્લામાં ફરજ બજાવતા ૧૪ પીએસઆઇની આંતરીક બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે, જયારે ૧૩ પોલીસ કર્મીઓને જુદી જુદી જગ્યાએ નિમણુંક આપવામાં આવી છે.
જામનગર શહેર, જીલ્લા પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૧૪ પીએસઆઇની એસપી દ્વારા આંતરીક બદલીઓ કરવામાં આવી છે, જેમાં કાલાવડ ગ્રામ્યના એચ.વી. પટેલ, સીટી-એના વી.કે. રાતીયા, ટ્રાફિકના એ.એચ. ચોવટ, સીટી-એના બી.એસ. વાળા, બેડી મરીનના એમ.એલ. ઓડેદરા, સાયબર ક્રાઇમના એ.આર રાવલ, સિકકાના એ.વી. સરવૈયા, એસઓજીના આર.એચ. બાર, જે.ડી. પરમાર, સીટી-બીના એસ.બી. સામાણી, ડી.બી. લાખણોત્રા, સીટી-સીના વી.એ. પરમાર, એન.જે. રાવલ, મહિલા પોલીસ સ્ટેશનના આર.એ. ચનીયારાનો સમાવેશ થાય છે.
જયારે અન્ય જીલ્લામાંથી અત્રે હાજર થયેલા ૧૩ પીએસઆઇને નિમણુંક આપવામાં આવી છે, જેમાં પશ્ર્ચિમ કચ્છના ઝેડ.એમ. મલેકને સીટી-બીમાં, એચ.કે. ઝાલાને સાયબર, આર.કે. ખલીફાને સીટી-સી, આર.સી. જાડેજાને ટ્રાફિક શાખા, એન.એમ. ઝાલાને મહિલા પોલીસ સ્ટેશન, ડી.જી. રાજને સીટી-બીમાં, એન.પી. ઠાકુરને સાયબર ક્રાઇમમાં, મોરબીના પીએસઆઇ એમ.કે. બ્લોચને સીટી-એમાં, પુર્વ કચ્છના એલ.એમ. ઝેરને એસઓજીમાં, એલ.બી. જાડેજાને સીટી-એમાં અને દ્વારકાના પી.આર. કારાવદરાને મહિલા પોલીસ સ્ટેશનમાં નિમણુંક આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application