કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કરી શકે છે. આ સંદર્ભમાં, નાણા મંત્રાલય ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક માટેના વ્યાજ દરોની 30 જૂન સુધીમાં સમીક્ષા કરશે, જેમાં દરો વધારવાનો નિર્ણય લઈ શકાય છે. સરકારે છેલ્લા ક્વાર્ટરમાં વ્યાજ દરો યથાવત રાખ્યા હતા. માનવામાં આવે છે કે આ વખતે નાના રોકાણકારોને રાહત મળી શકે છે.
હાલમાં સરકાર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ, પીપીએફ, સુક્ધયા, સિનિયર સિટીઝન, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સહિત કુલ 12 પ્રકારની નાની બચત યોજનાઓ ચલાવી રહી છે. આના દ્વારા, રોકાણકારોને લાંબા ગાળામાં વધુ નફો આપવા માટે, સરકાર દર ત્રણ મહિને વ્યાજ દરોની સમીક્ષા કરે છે અને તેમાં સુધારો કરે છે. જો કે, પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન) માટે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સાત ત્રિમાસિક ગાળામાં આ પ્રથમ વખત હતું જ્યારે સરકારે આ નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં વધારો કર્યો ન હતો.
નાણાકીય વર્ષ 2023-24ના છેલ્લા ત્રિમાસિક ગાળા માટે સરકારે માત્ર બે યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો હતો. જેમાં સુક્ધયા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર 8 ટકાથી વધારીને 8.20 ટકા કરવામાં આવ્યો હતો. આ સિવાય ત્રણ વર્ષની સમયની થાપણો માટે વ્યાજ દર 7 ટકાથી વધારીને 7.1 ટકા કરવામાં આવ્યા છે.
છેલ્લા ત્રણ વર્ષથી પીપીએફના દરમાં કોઈ ફેરફાર થયો નથી. તેમાં છેલ્લે એપ્રિલ-જૂન 2020માં ફેરફાર કરવામાં આવ્યો હતો, જ્યારે તેને 7.9 ટકાથી ઘટાડીને 7.1 ટકા કરવામાં આવ્યો હતો. કોરોના સમયગાળા દરમિયાન, સરકારે ઘણી બચત યોજનાઓના વ્યાજ દરોમાં સુધારો કર્યો હતો અને તેમાં ઘટાડો કર્યો હતો. ત્યારથી પીપીએફનો વ્યાજ દર 7.1 ટકા પર યથાવત છે. દરમિયાન, વ્યાજ દરોમાં ઘણા સુધારા કરવામા આવ્યા હતા પરંતુ પીપીએફમાં કોઈ ફેરફાર થયો ન હતો. આ વખતે આશા છે કે સરકાર અહીં પણ થોડી રાહત આપી શકે છે.
નિષ્ણાતોના મતે, પીપીએફ સહિત તમામ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો સરકાર માટે સંવેદનશીલ રાજકીય મુદ્દા છે. લાખો નાના બચતકારોને ફાયદો થાય તે માટે દર વધારવાનું દબાણ છે. આ સ્થાનિક બચતને પ્રોત્સાહિત કરવાની દિશામાં એક પગલું હશે. જો કે વ્યાજદરમાં વધારાથી સરકારી ખર્ચમાં વધારો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMપાકિસ્તાને બેશરમીની તમામ હદ વટાવી: આતંકવાદીઓને ફ્રીડમ ફાઈટર ગણાવ્યા
April 25, 2025 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech