જામનગરમાં રહેવાશી પ્રકાશ તુલસાની દ્રારા એચ.ડી.એફ.સી. લીમીટેડ પાસેથી હોમલોન લેવામાં આવેલ. હોમલોન લેતી વખતે એચ.ડી.એફ.સી. લીમીટેડ દ્રારા જણાવવામાં આવેલ કે જો તમો લોનની સાથે વીમા પોલીસી લેશો તો ભવિષ્યમાં તમો લોન લેનારને બીમારી કે મૃત્યુ થાય તો તમારા પરીવારને લોનની રકમ ભરપાઈ કરાવી નહીં પડે જેથી ફરિયાદી દ્રારા એચ.ડી.એફ.સી. લાઈફ ઇન્શ્યોરન્સ ની રૂા. ૨૧,૫૮,૪૪૬/-ની વીમા પોલીસી લેવામાં આવેલ જેમાં ક્રીટીકલ ઇલનેશ પ્લાન ઓપ્સન – ૨ નું પ્રિમીયમ ભરવામાં આવેલ.
આ પોલીસી લીધા બાદ ફરિયાદીને છાતીમાં દુઃખાવો થતાં અને બેભાન થઈ જતા તા. ૧૪/૦૧/૨૦૨૪ રોજ જી.જી.હોસ્પીટલ લઈ જવામાં આવેલ અને ત્યારબાદ વિશેષ સારવાર માટે બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ શારદા હોસ્પિટલ જામનગર ખાતે લઈ જવામાં આવેલ અને ત્યાંથી એપિક હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવામાં આવેલ અને બાયપાસ સર્જરી કરાવવામાં આવેલ જે બાદ ફરિયાદી દ્રારા સામાવાળા વીમા કંપની સમક્ષ કલેઈમ રજુ કરી ર૧,૫૮,૪૪૬ માંગણી કરવામાં આવેલ. આ કલેઈમ રજીસ્ટ્રરે લીધા બાદ વીમા કંપની દ્રારા ફરિયાદીનો સાથે કલેઈમ પોલીસીની ટર્મ્સ- કન્ડીશનનું કારણ આથી રદ્દ કરી દેવામાં આવેલ જેથી ફરિયાદી દ્રારા બેંક તથા વીમા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ કમિશન જામનગર ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ જેમાં એચ.ડી.એફ.સી. બેંક જામનગરને પક્ષકારોની ખામીનો બાધા ન નડે તે માટે જોડવામાં આવેલ અને વીમા કંપની પાસેથી વળતર વસુલ લવવા માંગણી કરવામાં આવેલ. ફરીયાદ ચાલી જતાં ફરિયાદ તરફે વકીલ દ્રારા વિસ્તૃત પુરાવા તથા દલીલ કરવામાં આવેલ જે ધ્યાને લઈ ગ્રાહક તકરાર નિવારણ કમિશનના અધ્યક્ષ પી.સી.રાવલ તથા મેમ્બર એચ.એસ.દવે દ્રારા ફરિયાદીની ફરીયાદ મંજુર કરી ૨૧,૫૮,૪૪૬ વાર્ષિક ૬ ટકા વ્યાજ સહીત ચુકવી આપવા હુકમ કરેલ તથા ફરિયાદ ખર્ચ વિગેરેના ૮,૦૦૦ પણ ચુકવવાનો હુકમ કરેલ છે. આ ફરીયાદમાં ફરિયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી તથા દિપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણીયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech