ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, તુર્કી અને અઝરબૈજાનએ પાકિસ્તાન સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહેવાનો દાવો કર્યો છે જેના પગલે હવે ભારતીયો અહીંના પોતાના બુકિંગ રદ કરી રહ્યા છે અને ભારતીયો તુર્કી અને અઝરબૈજાન જવા માંગતા નથી.પહેલગામ હુમલા અંગે 'ઓપરેશન સિંદૂર' હેઠળ ભારતની બદલો લેવાની કાર્યવાહી બાદ, પાકિસ્તાનને તુર્કી અને અઝરબૈજાન તરફથી સમર્થન મળી રહ્યું છે. હવે પરિસ્થિતિ એવી છે કે લોકોના મનપસંદ સ્થળોમાં રજાઓ ગાળવા માટે ગણાતા તુર્કી અને અઝરબૈજાન માટે ટ્રાવેલ કંપનીઓના બુકિંગ ઝડપથી રદ થઈ રહ્યા છે.
એક અહેવાલ મુજબ, ટ્રાવેલ કંપની કોક્સ એન્ડ કિંગ્સે જણાવ્યું હતું કે તેમણે અઝરબૈજાન, તુર્કી અને ઉઝબેકિસ્તાન માટે તેમના તમામ બુકિંગ રદ કર્યા છે. તેવી જ રીતે, પીક યોર ટ્રાવેલ ના સહ-સ્થાપક હરિ ગણપતિએ જણાવ્યું હતું કે, "અમે તુર્કી અને અઝરબૈજાન માટે તમામ નવા બુકિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ભારતના રાષ્ટ્રીય હિતોનો વિરોધ કરતી નીતિઓ સામે એક વલણ છે.
ગ્રાહકોની ટ્રાવેલ કંપનીઓ પાસેથી રિફંડની માંગ
વન્ડરવનના સીઈઓ અને સહ-સ્થાપક ગોવિંદ ગૌર કહે છે કે તેમણે તેમના બધા નવા બુકિંગ પણ બંધ કરી દીધા છે. તેઓ વધુમાં કહે છે કે, જ્યાં સુધી એડવાન્સ બુકિંગનો સવાલ છે, ભારતીયો કહી રહ્યા છે કે તેઓ ત્યાં જવા માંગતા નથી અને ગ્રાહકો તેમના રિફંડ માંગી રહ્યા છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે ભારતથી અઝરબૈજાન અને તુર્કીયેના બુકિંગમાં 50 ટકાથી વધુ ઘટાડો થવાની ધારણા છે.
પાક.ને સમર્થન દર્શાવવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી
એક અહેવાલ મુજબ, ઈઝી માય ટ્રીપ ના સ્થાપક અને પ્રમુખ નિશાંત પિટ્ટીએ પણ લોકોને તુર્કી અને અઝરબૈજાનની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે તુર્કી અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને સમર્થન દર્શાવ્યા પછી, તેમની કડક સલાહ છે કે જો તે એકદમ જરૂરી ન હોય તો જ આ દેશોની મુલાકાત લો. મુંબઈ સ્થિત ટ્રાવેલ એકોમોડેશન બ્રાન્ડ ગો હોમસ્ટેઝે પણ ટર્કિશ એરલાઇન્સ સાથેની તેની ભાગીદારીનો અંત લાવ્યો છે. ડી2સી ટ્રાવેલ ટેકનોલોજી ફર્મ વન્ડરવનએ પણ બંને દેશો માટે તેનું બુકિંગ બંધ કરી દીધું છે. પ્રવાસનની દ્રષ્ટિએ, ચીન પછી ભારત આ બંને દેશો માટે સૌથી મોટા બજારોમાંનું એક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech