રાજકોટના ૬ સહિત ૧૮૮ શરણાર્થીઓને ભારતનું નાગરિત્વ

  • August 19, 2024 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે અમદાવાદ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં દેશમાં લાગુ નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) હેઠળ રાજકોટના ૬ સહિત ૧૮૮ હિન્દુ વસાહતીઓને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. આ બાદ એક સભાને સંબોધતા શાહે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) લાખો શરણાર્થીઓને તેમના અધિકારો અને ન્યાય આપવા માટે છે. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ અને તેના સહયોગીઓની આગેવાની હેઠળની અગાઉની સરકારોની તુષ્ટ્રિકરણની રાજનીતિને કારણે દેશમાં મોટી સંખ્યામાં શરણાર્થીઓને નાગરિકતાનો અધિકાર આપવામાં આવ્યો નથી.
તેમણે મુસ્લિમોને એ પણ ખાતરી આપી હતી કે, સીએએમાં કોઈની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી કારણ કે તે નાગરિકતા આપવા વિશે છે.
તેમણે કહ્યું કે, અગાઉની સરકારોએ કરોડો ઘૂસણખોરોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી અને તેમને ગેરકાયદેસર નાગરિક બનાવ્યા.
શાહે કહ્યું કે, જે લોકોએ કાયદાનું પાલન કયુ અને નાગરિકતા માટે અરજી કરી તેમને તેઓ એમ કહીને નાગરિકતા આપતા નથી કે તેના માટે કોઈ કાયદાકીય જોગવાઈ નથી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, કોંગ્રેસ અને તેના સહયોગીઓની અગાઉની સરકારોની તુષ્ટ્રિકરણની નીતિના કારણે, દેશમાં આશ્રય માટે આવેલા લોકોને તેમના અધિકારો અને ન્યાય મળ્યો નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application