ભારત ટૂંક સમયમાં ઓકલેન્ડમાં વાણિજ્ય દૂતાવાસ ખોલશે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

  • August 10, 2024 07:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓકલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ન્યૂઝીલેન્ડ સાથે રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત કરવા અને ભારતીય ડાયસ્પોરાને સુવિધા આપવા માટે ભારત ટૂંક સમયમાં ઓકલેન્ડમાં વાણિજ્ય દૂતાવાસ ખોલશે. આ જાહેરાત ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિતને કરી રહી હતી.


ન્યુઝીલેન્ડમાં ભારતીય હાઈ કમિશન વેલિંગ્ટનમાં છે. ન્યુઝીલેન્ડની વસ્તીના છ ટકા ભારતીય મૂળના લોકો રહે છે. "ન્યુઝીલેન્ડ સાથે ભારતના સંબંધો ઊંડા અને બહુપરીમાણીય છે," તેમણે દેશની પ્રથમ મુલાકાત પર કહ્યું હતું કે, ન્યુઝીલેન્ડના વિકાસમાં ભારતીયોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે બિઝનેસ, હેલ્થ એજ્યુકેશન અને આઈટી સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા ભારતીયોની પ્રશંસા કરી હતી.


દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પર કરી ચર્ચા

તેમણે કહ્યું કે, NRIઓએ તેમની મહેનત અને બલિદાન દ્વારા દેશના વિકાસ અને અર્થતંત્રમાં યોગદાન આપ્યું છે. મુર્મુએ કહ્યું કે તેમણે ગવર્નર જનરલ ડેમ સિન્ડી કિરો, વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને નાયબ વડા પ્રધાન વિન્સ્ટન પીટર્સ સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા ચર્ચા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application