રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રીએ સ્પષ્ટ્ર કહ્યું કે જો ભારતનો સંપર્ક કરવામાં આવે તો તે રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી પર વિચાર કરી શકે છે. વિદેશ મંત્રીના નિવેદન પરથી અંદાજ લગાવી શકાય છે કે વૈશ્વિક સ્તરે ભારતનો દરો કેટલો વધ્યો છે.
વિદેશ પ્રધાન એસ જયશંકરે સંકેત આપ્યો છે કે જો સંપર્ક કરવામાં આવે તો ભારત રશિયા–યુક્રેન યુદ્ધને સમા કરવા માટે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવવા માટે વિચારણા કરવા તૈયાર છે, જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે નવી દિલ્હી એવું માનતું નથી કે તેણે પોતે આ અંગે કોઈ પહેલ કરવી જોઈએ.જયશંકરે જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ભારતના ઉર્જા સપ્લાયર્સે યુક્રેન યુદ્ધ પછી ઐંચા ભાવ ચૂકવનારા યુરોપને પેટ્રોલિયમ ઉત્પાદનો પ્રદાન કરવાને પ્રાથમિકતા આપી હતી અને નવી દિલ્હી પાસે રશિયન ક્રૂડ ઓઈલનો કોઈ વિકલ્પ હતો.
રશિયા પરનો ધ્ષ્ટ્રિકોણ યુરોપ જેવો ન હોઈ શકે .તેમણે કહ્યું કે જે રીતે ભારત યુરોપને ચીન પ્રત્યે નવી દિલ્હી જેવો પરિપ્રેય રાખવાની અપેક્ષા રાખતું નથી, તેવી જ રીતે યુરોપે પણ સમજવું જોઈએ કે રશિયા પ્રત્યે ભારતનો દ્રષ્ટ્રિકોણ યુરોપિયન પરિપ્રેય જેવો હોઈ શકે નહીં. વિદેશ મંત્રીએ કહ્યું કે રશિયા સાથે ભારતના 'સ્થિર' અને 'ખૂબ જ મૈત્રીપૂર્ણ' સંબંધો રહ્યા છે અને મોસ્કોએ કયારેય નવી દિલ્હીના હિતોને નુકસાન પહોંચાડું નથી.બીજી તરફ, ઉદાહરણ તરીકે, ચીન સાથેના આપણા રાજકીય અને સૈન્ય સંબંધો ખૂબ જટિલ છે, તેમણે કહ્યું. યુક્રેનમાં યુદ્ધ છતાં રશિયા સાથે ભારતના સતત સૈન્ય સહયોગ અંગે જયશંકરે કહ્યું કે તે ચાલુ છે કારણ કે ઘણા પશ્ચિમી દેશોએ લાંબા સમયથી ભારતને નહીં પરંતુ પાકિસ્તાનને સપ્લાય કરવાનું પસદં કયુ છે. જયશંકરે ભારત દ્રારા રશિયન ક્રૂડની ખરીદીને સંપૂર્ણ રીતે વાજબી ઠેરવતા કહ્યું કે યારે યુક્રેનમાં લડાઈ શ થઈ ત્યારે યુરોપે તેની ઉર્જા ખરીદીનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયામાંથી લેવાનું શ કયુ જે ત્યાં સુધી ભારત અને અન્ય દેશો માટે ઉર્જાનો ક્રોત હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech