ભારતના ચીન સાથે સંબંધો ખરાબ, પરંતુ કોઈ ત્રીજા પક્ષની દખલગીરીની જરૂર નથી: એસ જયશંકર

  • July 29, 2024 07:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત-ચીન સરહદ વિવાદમાં કોઈ ત્રીજા પક્ષની દખલગીરીનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે બંને પાડોશી દેશો વચ્ચેના મુદ્દાનો ઉકેલ બંનેએ શોધવો પડશે. જાપાનની રાજધાની ટોક્યોમાં પ્રેસ કોન્ફરન્સમાં જયશંકરે ઘણા સવાલોના જવાબ આપ્યા. આ દરમિયાન તેમણે કહ્યું, ભારત અને ચીન વચ્ચેના વાસ્તવિક મુદ્દાને ઉકેલવા માટે અમે અન્ય દેશો તરફ જોઈ રહ્યા નથી. એસ જયશંકર હાલ ક્વાડ જૂથના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ટોક્યો ગયા છે. તેમણે એમ પણ કહ્યું કે ચીન સાથે ભારતના સંબંધો સારા નથી.


એસ જયશંકરે કહ્યું, અમારી વચ્ચે સમસ્યા છે, અથવા હું કહેવા માંગુ છું કે ભારત અને ચીન વચ્ચે સમસ્યા છે. મને લાગે છે કે અમારે બંનેએ તેના વિશે વાત કરવી જોઈએ અને ઉકેલ શોધવો જોઈએ. તેમણે આ મહિને બે વખત ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથેની તેમની બેઠકોને પણ યાદ કરી. વિદેશ મંત્રીએ કહ્યું, સ્વાભાવિક છે કે વિશ્વના અન્ય દેશો પણ આ મામલે રસ લેશે, કારણ કે અમે બે મોટા દેશ છીએ. આપણા સંબંધોની સ્થિતિની અસર બાકીના વિશ્વ પર પડે છે. પરંતુ, અમે અમારી વચ્ચેના વાસ્તવિક મુદ્દાને ઉકેલવા માટે અન્ય દેશો તરફ જોઈ રહ્યા નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application