ભારતે વેપાર માટે મધ્ય એશિયા સુધી પહોંચવું હોય તો તેનો સીધો રસ્તો પાકિસ્તાનમાંથી પસાર થાય છે. પરંતુ આવું ન થાય તે માટે પાકિસ્તાન ભારતને રસ્તો જ નથી આપતું. આવી સ્થિતિમાં હવે ભારત ચાબહાર પોર્ટ દ્રારા અફઘાનિસ્તાન પહોંચવા માંગે છે. જેના માટે ભારત અફઘાનિસ્તાનમાં કોન્સ્યુલેટ ખોલે તેવી હિલચાલ શ થતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.
એક ભારતીય પ્રતિનિધિમંડળ અફઘાનિસ્તાનની રાજધાનીમાં તાલિબાન શાસનના વરિ અધિકારીઓને મળ્યું હતું અને અહીં અફઘાનિસ્તાનના લોકોને ભારતની માનવતાવાદી સહાય અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ બીજી ચર્ચા હતી જેનાથી પાકિસ્તાન અસ્વસ્થ થઈ શકે છે. વાસ્તવમાં, ભારતે અફઘાન વેપારીઓ દ્રારા ચાબહાર પોર્ટના ઉપયોગ અંગે પણ ચર્ચા કરી હતી.ભારતીય અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ તાલિબાન શાસનના વિદેશ પ્રધાન અમીર ખાન મોટ્ટકીને મળ્યું હતું. દરમિયાન એવી અટકળો પણ ચાલી રહી છે કે ભારત અફઘાનિસ્તાનમાં કોન્સ્યુલેટ જનરલ ખોલી શકે છે.ભારત અફઘાનિસ્તાન મારફતે વેપાર શ કરવા માંગે છે. ભારતીય પ્રતિનિધિમંડળના સભ્યો અફઘાનિસ્તાનના ઉધોગપતિઓને પણ મળ્યા હતા. ભારતે કહ્યું, 'અફઘાનિસ્તાનના લોકો સાથે અમારા ઐતિહાસિક અને સભ્યતાના સંબંધો છે અને આ જૂના સંબંધો અમારા અભિગમને માર્ગદર્શન આપતા રહેશે.' તાલિબાનના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવકતા ઝિયા અહેમદ તકલે જણાવ્યું હતું કે ભારતીય અધિકારીઓ અને અફઘાન ઉધોગપતિઓ વચ્ચે આર્થિક અને વિઝા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
પાકિસ્તાનને જોરદાર આંચકો લાગશે
એક અહેવાલ એવો સામે આવ્યો છે કે ભારત કંદહારના મુખ્ય વેપાર કેન્દ્રમાં કોન્સ્યુલેટ ખોલવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ શહેર પાકિસ્તાનની નજીક છે. પાકિસ્તાન માટે આ એક મોટો ફટકો છે, કારણ કે અગાઉની સરકાર દરમિયાન પણ ઈસ્લામાબાદ કંદહાર અને જલાલાબાદમાં ભારતીય વાણિય દૂતાવાસની હાજરી સામે વાંધો ઉઠાવતું રહ્યું હતું. પાકિસ્તાન તેમના પર જાસૂસી અને સરકાર વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યું છે
અફઘાન ઉધોગપતિઓને ભારતના વિઝા મળશે
તાલિબાન સત્તામાં આવ્યા બાદ ભારતે અફઘાન નાગરિકોને વિઝા આપવાનું બધં કરી દીધું હતું. પરંતુ ત્યારથી તેણે કાબુલ સાથે આશ્ચર્યજનક રીતે હકારાત્મક સંબંધો સ્થાપિત કર્યા છે. આ પહેલા તાલિબાન અને ભારત વચ્ચેના સંબંધો સારા નહોતા. તેનું સૌથી મોટું કારણ એ છે કે ભારત તેને પાકિસ્તાનનું પ્રતિનિધિ માનતું હતું. તાલિબાનના પ્રવકતાએ કહ્યું કે ભારતીય પ્રતિનિધિએ અફઘાન ઉધોગપતિઓને વિઝા આપવા માટે જરી સુવિધાઓ ઊભી કરવાનું આશ્વાસન આપ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ
June 05, 2025 11:35 PMબેંગલુરુ ભાગદોડ: RCB એ એવી કઈ ભૂલ કરી કે જેના પર FIR દાખલ થઈ?
June 05, 2025 09:40 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 167 નવા કેસ, એક્ટિવ કેસ 600ને પાર
June 05, 2025 09:04 PMગૌતમ ગંભીરનું ચોંકાવનારું નિવેદન! ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં કહી દીધું, "જીતની ગેરંટી નહીં..."
June 05, 2025 09:01 PMડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગે કરી વાત, ટેરિફ પર અટકેલી વાતચીત શું ફરી થશે શરૂ?
June 05, 2025 08:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech