પોરબંદરના ધારાસભ્યએ પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
પુર્વ વડાપ્રધાન અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહજીના નિધન અંગે શોક વ્યક્ત કરતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે,ડો.મનમોહનસિંહજીના નિધનથી માં ભારતીએ પોતાનો એક મહાન સપુત ગુમાવ્યો છે. ડો.મનમોહનસિંહજી દેશની જનતાની પીડાને સમજનાર એક મહામાનવ હતા.વર્ષ ૧૯૯૧ માં નાણાંમંત્રી તરીકે તેમણે દેશને આર્થિક કટોકટીમાંથી ઉગારીને આર્થિક વિકાસની દિશામાં અગ્રેસર થવાનો પાયો નાખ્યો હતો.વડાપ્રધાન તરીકે પણ ડો. મનમોહનસિંહે દેશને આગળ વધારવામાં મહત્વની ભુમિકા ભજવી હતી.સાથે જ પ્રામાણીક્તા અને સાદગીપુર્ણ જીવન થકી એક આદર્શ રાજનેતાના ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા હતા. અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતુ કે,વ્યક્તિગત રીતે ડો. મનમોહસિંહ મારા માટે એક પિતાતૃલ્ય માર્ગદર્શક હતા.જ્યારે પોરબંદર કે ગુજરાતના પ્રશ્ર્નોને લઈને તેમની સામે ગયો ત્યારે તેમણે અંગત રસ દાખવીને તે પ્રશ્ર્નોનો ઉકેલ લાવ્યો હતો.તેમના નિધનથી શોકની લાગણી અનુભવી રહ્યો છું, એ મહામાનવને સહૃદય શ્રદ્ધાંજલિ પાઠવું છુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech