ભારત 58 % ટેરિફ લાદે છે: ટ્રમ્પ ખોટી વાત, 7થી 8 % જ છે: ગોયલ

  • April 08, 2025 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ એવું નિવેદન આપ્યું હતું કે ભારત અમેરિકન ઉત્પાદનો પર 58 ટકા ટેરિફ લાદે છે તે હમણાથી ચર્ચામાં છે, પરંતુ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આ દાવાનું ખંડન કર્યું છે અને સાચી સ્થિતિ ઉજાગર કરી છે કે ભારતની વાસ્તવિક ડ્યુટી ફક્ત 7-8 ટકા છે.

પિયુષ ગોયલે સ્પષ્ટતા કરી હતી કે ભારત અમેરિકન ઉત્પાદનો પર જે ડ્યુટી લાદે છે તે 58 ટકા નહીં પરંતુ ફક્ત 7-8 ટકા છે. તેમણે કહ્યું કે આ ફી કોઈપણ રીતે વધુ પડતી નથી અને તે સંપૂર્ણપણે વૈશ્વિક વેપાર ધોરણો સાથે સુસંગત છે.ગોયલે એમ પણ કહ્યું કે ભારત તેના વેપાર સંબંધો નિષ્પક્ષતા અને પારદર્શિતા સાથે ચલાવે છે. ભારત માને છે કે તે એવા દેશો સાથે વેપાર કરાર કરી શકે છે જે વાજબી વેપાર પ્રથાઓનું પાલન કરે છે.


26 ટકા પારસ્પરિક ટેરિફ બન્ને દેશો માટે અન્યાયી

ગોયલે એ પણ માહિતી આપી હતી કે અમેરિકાએ તાજેતરમાં ભારતીય ઉત્પાદનો પર 26 ટકા પારસ્પરિક ટેરિફ લાદ્યો છે. તેમણે તેને અન્યાયી અને બંને દેશો માટે નુકસાનકારક વેપાર ગણાવ્યો. પિયુષ ગોયલે કહ્યું, 'અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર 26 ટકા વધારાની ડ્યુટી લાદી છે, જે અન્યાયી છે. ગોયલે સ્પષ્ટ કર્યું કે વિશ્વ હવે વૈશ્વિકરણથી દૂર થઈ રહ્યું છે અને ફરીથી વૈશ્વિક સ્તરે જોડાયેલા બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમનું માનવું છે કે જો વાજબી વેપાર નીતિઓ ધરાવતા દેશો એકસાથે આવે તો તે ભારત માટે એક સુવર્ણ તક બની શકે છે. ગોયલે નિર્દેશ કર્યો કે, ભારતની ટેરિફ સિસ્ટમ ડમ્પિંગ જેવી ગેરકાયદેસર વેપાર પ્રથાઓ સામે રક્ષણ આપવા માટે છે. આ નીતિ ભારતને એવા દેશોથી બચાવવા માટે છે જે પોતાના ઉત્પાદનો સસ્તા ભાવે વેચીને વૈશ્વિક બજારમાં અસંતુલન પેદા કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application