ખાસ પ્રકારના કેન્સરની સારવાર હવે કીમોથેરાપી વિના કરી શકાશે. ૧૫ વર્ષના સંશોધન બાદ ચંદીગઢ પીજીઆઈના નિષ્ણાતો એવી પદ્ધતિ શોધવામાં સફળ થયા છે જે એકયુટ પ્રોમાયલોસાયટીક લ્યુકેમિયાના દર્દીઓને કીમો આપ્યા વિના સંપૂર્ણ રીતે સાજા કરે છે. સંસ્થાનો દાવો છે કે આ સિદ્ધિ સાથે ભારત કીમોથેરાપી વિના કેન્સરની સારવાર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.આ સંશોધન બ્રિટિશ જર્નલ ઓફ હેમેટોલોજીમાં પ્રકાશિત થયું છે.
પીજીઆઈમાં હેમેટોલોજી વિભાગના વડા અને સંશોધનના મુખ્ય લેખક પ્રો. પંકજ મલ્હોત્રાએ જણાવ્યું કે આ કેન્સરમાં દર્દીની હાલત ઝડપથી બગડે છે. જો તે બે અઠવાડિયા સુધી પોતાની સંભાળ રાખે છે, તો સારવારની સકારાત્મક અસરો ઝડપથી દેખાવા લાગે છે, પરંતુ તે બે અઠવાડિયા સુધી જીવવું ખૂબ મુશ્કેલ છે. સમગ્ર વિશ્વમાં કેન્સરના દર્દીઓની સારવાર કીમો દ્રારા કરવામાં આવે છે. પ્રથમ વખત પીજીઆઈએ દર્દીઓને કીમોની જગ્યાએ દવા આપી. આમાં વિટામિન અને આર્સેનિક ટ્રાયઓકસાઈડનો સમાવેશ થાય છે. સંશોધનના અન્ય લેખક ડો.ચરનપ્રીત સિંહે જણાવ્યું કે સંશોધનમાં ૨૫૦ દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ગંભીર દર્દીઓને બે વર્ષ અને ઓછા ગંભીર દર્દીઓને ચાર મહિના સુધી દવા આપવામાં આવતી હતી. સતત ફોલો–અપ સાથે પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. યારે આ ૨૫૦ દર્દીઓની સ્થિતિની કીમોના દર્દીઓની સાથે સરખામણી કરવામાં આવી તો વધુ સારા પરિણામો જોવા મળ્યા. કીમોની તુલનામાં, સંશોધનમાં સામેલ દર્દીઓ માટે સારવારનો સફળતા દર ૯૦ ટકા હતો. જે દર્દીઓ બે અઠવાડિયામાં જીવિત ન રહી શકયા તેમના પરિણામો નેગેટિવ આવ્યા હતા. બાકીના દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ છે. તેઓ સામાન્ય જીવન જીવી રહ્યા છે.
કીમો કેન્સરના કોષોને મારી નાખે છે. તેની આડઅસર અન્ય અંગો પર અસર કરે છે, યારે વિટામીન અને ધાતુની માત્રા કેન્સરના કોષોના નિર્માણની પ્રક્રિયાને સંપૂર્ણપણે નષ્ટ્ર કરે છે. તે કેન્સરના સ્થાન પર હત્પમલો કરે છે. તેનાથી કોઈ આડઅસર થતી નથી. ચેપ તેની શઆતમાં બધં થઈ જાય છે. તીવ્ર પ્રોમીલોસાયટીક લ્યુકેમિયા દર્દીના અસ્થિમાને અસર કરે છે. આ કેન્સરથી પીડિત દર્દીના શરીરમાં સ્વસ્થ શ્વેત રકતકણોનું ઉત્પાદન ઘટે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech