- હનુમાનગઢીના મહંતે ફહાદ-સ્વરાના સંબંધમા આખી કોમને ઢસડી
- કહ્યું- સ્વરા હજારો પુરુષો સાથે રાત વિતાવવા માંગે તો તેમને લગ્નની શુભેચ્છા
હનુમાનગઢીના મહંત રાજુ દાસે ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર અને સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદના લગ્નને લઈને વિવાદિત નિવેદન કર્યું છે. મહંત રાજુ દાસે કહ્યું કે જો સ્વરા ભાસ્કર હજારો પુરુષો સાથે રાત વિતાવવા માગે તો તેમને આ લગ્નની શુભેચ્છા. તેમણે કહ્યું કે સ્વરાએ એ કોમ સાથે લગ્ન કર્યા છે, જેઓ પોતાની બહેનો સાથે લગ્ન કરે છે. એ પછી તેમણે તલાક, તલાક, તલાક કહીને ઘણા પુરુષો સાથે રાત વિતાવવી પડે છે. મહંત રાજુ દાસે સ્વરા ભાસ્કરને અલ્ટીમેટલ આપીને કહ્યું કે રાખી સાવંતનું ઉદાહરણ તેની સામે છે. માટે સ્વરા ભાસ્કરે પણ હવે હલાલા માટે તૈયાર રહેવું જોઈએ.
મહંત રાજુ દાસે કહ્યું કે સ્વરા ભાસ્કર તેરે ટૂકડે હોંગે ઈન્શાલ્લાહ, ઈન્શાલ્લા ગેંગની સભ્ય છે. તેમણે કહ્યું કે સ્વરા ભાસ્કર 10 દિવસ પહેલા જે છોકરાને ટ્વીટ કરીને કહેતી હતી કે કોઈ સારી છોકરી સાથે લગ્ન કરી લો, 10 દિવસ પછી એ જ છોકરા સાથે લગ્ન કરી લે છે. આગળ તેમણે કહ્યું કે સ્વરા એક નારી શક્તિ છે અને સશક્ત મહિલા છે તો તેમણે આ કોમમાં લગ્ન કરવાની જરુર જ નહોતી. આ સાથે મહંત રાજુ દાસે કહ્યું કે સ્વરા ભાસ્કરના લગ્નનું સ્વાગત છે, કારણ કે સનાતનથી એક ભાર ઓછો થયો છે.
મહંત રાજુ દાસે કહ્યું કે હું કોઈ મહિલા કે ધર્મનું અપમાન કરવા નથી માગતો, પરંતુ હિન્દુ ધર્મમાં સતી પ્રથા કુરિવાજ હતો જે સમાપ્ત થઈ ગયો છે. આ રીતે ઈસ્લામમાં હલાલ જેવી કુરિતી પણ સમાપ્ત થવી જોઈએ, કારણ કે હલાલાની પીડા એ મહિલાને પુછો જેમણે ભાઈ, પિતા અને ગુરુ સાથે સંબંધ રાખવા પડે છે. મહંત રાજુ દાસે કહ્યું કે આવી સંસ્કૃતિ ભાડમાં જવી જોઈએ.
બીજી બાજુ આગ્રામાં બાંઘેશ્વર ધામના પુજારી ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધ અંગે હનુમાનગઢીના મહંત રાજુ દાસે કહ્યું કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય સૌને આંદોલન કરવાનો અધિકાર છે. પરંતુ આંદોલન બંધારણની મર્યાદામાં થવું જોઈએ. બાઘેશ્વર ધામ અને સનાતન સંસ્કૃતિનો વિરોધ કરે એ નહીં ચાલે.મહંત રાજુ દાસે કહ્યું કે જો બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ ખોટું કામ કરે છો તો વિરોધ કરો તો ચાલશે. મહંત રાજુ દાસે કહ્યું કે ચાદર અને ફાધરવાળા જ્યારે આવ્યા હતા, કાર્યક્રમ કરતા હતા તેમનો ક્યારેય વિરોધ થયો નથી.
લવ જેહાદના નામ પર અમારી બહેન દીકરીઓના ટૂકડાં કરતા હતા. અમે તેના પર પણ કોઈ સવાલ ઉઠાવ્યા નથી. પ્રલોભન આપીને ધર્માંતરણ કરાવવા પર પણ અમે ક્યારેય સવાલ કર્યા નથી. પરંતુ જ્યારે સનાતન અને રામચરિતમાનસ પર હુમલો થયો ત્યારે અમે વિરોધ કર્યો.
નોંધનીય છે કે આગરામાં ઓલ ઈન્ડિયા જમીતુલ કુરેશીના જિલ્લા અધ્યક્ષ શરીફે મુસ્લિમ સમાજે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો આમ ના થયું તો મુસ્લિમ સમાજ રસ્તા પર ઉતરીને ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech