રાજકોટમાં વહેલી સવારથી મીઠાના જથ્થાબંધ વેપારી પર ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે. તેમજ જામનગર અને અમદાવાદમાં પણ મીઠાના વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.
100 જેટલા અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા
પ્રાપ્ત વિગત મુજબ, આજે વહેલી સવારથી ગુજરાતના મોટા શહેરોમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મીઠાના વેપારી ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાણીતા દેવ ગ્રૂપ ઉપર આ સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે. જામનગરના મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ફેક્ટરી માળિયા ખાતે આવેલી છે. ડી.એસ.ઝાલા અને હિતેન્દ્ર ઝાલાને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.તેમની અમદાવાદ ઉપરાંત રાજકોટ તેમજ ગાંધીધામમાં આવેલ પેઢી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગની 25 જેટલી ટીમના 100 જેટલા અધિકારીઓ દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મોટી કરચોરી પકડાવાની શક્યતા
રાજકોટ ઉપરાંત અમદાવાદ , જામનગર અને ગાંધીધામમાં આવકવેરા વિભાગે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. મીઠાના વેપારી પર દરોડા પાડવામાં આવતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોટી કરચોરી પકડાવાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech