બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ગોવિંદાને ગઈકાલે સવારે ગોળી વાગી હતી. જ્યારે ગોવિંદ પોતાના ઘરમાં બંદૂક સાફ કરી રહ્યો હતો. આ દરમિયાન અકસ્માતે ટ્રિગર દબાઈ ગયું હતું અને ગોવિંદાના પગમાં ગોળી વાગી હતી. આ પછી તરત જ ગોવિંદને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હાલ તે ખતરાની બહાર હોવાનું કહેવાય છે. પરંતુ શું જાણો છો કે પગમાં ગોળી વાગવી કેટલી ખતરનાક છે? અને જો ગોળી શરીરના કોઈપણ ભાગમાં વાગે તો તરત જ મૃત્યુ થાય છે.
પગમાં ગોળી વાગવાથી કોઈનું મૃત્યુ થઈ શકે?
શરીરના કોઈપણ ભાગમાં ગોળી લાગવી જોખમી છે પરંતુ શરીરના કેટલાક ભાગો એવા હોય છે જ્યાં ગોળી મારવી ઓછી ખતરનાક હોય છે. પગ પણ શરીરનો એક ભાગ જ છે. જ્યાં ગોળી મારવામાં આવે તો મૃત્યુનું જોખમ ઓછું હોય છે. એટલા માટે જોયું જ હશે કે જ્યારે સુરક્ષા દળો કોઈ ગુનેગારનો પીછો કરતા હોય છે અને તેને રોકવાનો હોય ત્યારે તેને પગમાં ગોળી મારવાનો પ્રયાસ કરે છે. જેથી ગુનેગાર જીવ ન ગુમાવે અને પકડાઈ પણ જાય.
પગમાં ગોળી વાગવાથી પગના સોફ્ટ ટિશ્યુને ઘણું નુકસાન થાય છે. જો કે તે ગોળી કેટલા અંતરથી છોડવામાં આવે છે તેના પર નિર્ભર છે પરંતુ જો ગોળી વાગ્યા પછી વધુ પડતું લોહી નીકળતું હોય અને ગનપાઉડર ચેપ વધુ ફેલાયો છે. તો આવી સ્થિતિમાં મૃત્યુ પણ થઈ શકે છે. આથી પગમાં માર્યા બાદ તાત્કાલિક સારવાર લેવામાં આવે છે. જેથી વ્યક્તિને વધારે નુકસાન થતું નથી. સારવાર મેળવવામાં જેટલો વિલંબ થશે તેટલો ઘા વધુ જોખમી બની શકે છે.
શરીરમાં ક્યાં ગોળી લાગવાથી તાત્કાલિક મૃત્યુ થઈ શકે છે?
માનવ શરીરના કેટલાક અંગો ખૂબ જ સંવેદનશીલ હોય છે. જ્યાં ગોળી વાગે તો તરત જ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. શરીરમાં બે પ્રકારના અવયવો હોય છે, એક વાઈટલ અને બીજું નોન-વાઈટલ. જો મહત્વપૂર્ણ અંગો વિશે વાત કરીએ તો તેમાં હૃદય, મગજ, કિડની અને લીવર જેવા અંગોનો સમાવેશ થાય છે. આમાં ગોળી મારવી ખૂબ જોખમી છે પરંતુ જો કોઈને હૃદય કે મગજમાં ગોળી વાગે તો તે વ્યક્તિનું તુરંત મૃત્યુ થઈ શકે છે. હૃદય અને મગજ શરીરના બે સૌથી સંવેદનશીલ અંગો છે. અહીં ગોળી મારવી એ સૌથી ખતરનાક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવ
May 14, 2025 11:18 AMશ્રીનગરમાં 11 સ્થળોએ 150 આતંકીઓના ઘરો પર દરોડા
May 14, 2025 11:15 AMજામનગર શહેરમાં કારમાં દારૂની હેરાફેરી કરતા ત્રણને પકડી પાડતી LCB પોલીસ
May 14, 2025 11:15 AMહવે દર વર્ષે 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ ઉજવાશે
May 14, 2025 11:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech