વધુમાં સાંસદએ જણાવ્યું હતું કે, કોઈપણ ક્ષેત્ર કે પ્રદેશના વિકાસમાં યાતાયાતની સુવિધાઓ મહત્વનું માધ્યમ છે. પહેલા સમયમાં રેલવેના વિસ્તરણની પરિકલ્પના સ્વપ્ન સમાન લાગતી હતી ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આજે ઓખા સુધી રેલવે લાઈન ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી પૂર્ણ થઈ છે.જે રેલવેમાં આવેલ આધુનિકીકરણની ઝલક પ્રદર્શિત કરે છે. વંદે ભારત ટ્રેનએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના અભિગમને ખરા અર્થમાં સાર્થક કરતી સંપૂર્ણ સ્વદેશી ટ્રેન છે. જેના થકી યાત્રિકોને મુસાફરીનો અલગ જ અનુભવ થશે.
વધુમાં સાંસદએ ઉમેર્યું હતું કે,ભગવાનશ્રી કૃષ્ણની પાવન ભૂમિ દેવભૂમિ દ્વારકામાં દેશ વિદેશથી બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે હવે વંદે ભારત ટ્રેનના વિસ્તરણ થકી દ્વારકા જિલ્લાના પ્રવાસનને નવી ગતિ મળશે. જેના થકી સ્થાનિક રોજગારીમાં વધારો થતાં નાગરિકો આર્થિકરૂપે સક્ષમ બનતા તેમના જીવનધોરણમાં સુધારો થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતાના ઉદબોધનમાં ઘણી ખરી વખત ઉલ્લેખ કર્યો છે કે "મારા માટે જે છેલ્લું છે તે જ પ્રથમ છે" અર્થાત છેવાડાના વિસ્તારોને પ્રાથમિકતા આપી છે. જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેનને ઓખા સુધી વિસ્તરિત કરવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર માનું છુ.
આ ઉપરાંત વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના હેઠળ સ્થાપિત સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે દ્વારકા રેલવે સ્ટેશન ખાતે સાંસદ પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ તકે દ્વારકા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઓખા નગરપાલીકા પ્રમુખ ઉષાબેન ગોહિલ, ડી.આર.એમ અશ્વિની કુમાર, પશ્ચિમ રેલવે ચીફ કેટરિંગ મેનેજર તરુણ જૈન, જિલ્લા પંચાયતના સદસ્યઓ, અગ્રણી વિજય બુજડ, ભરત ચાવડા, ખેરાજભા કેર, લુણાભા સુમણીયા સહિત રેલવે વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે , ટ્રેન નંબર 22925 અમદાવાદ-ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન તા. ૧૩માર્ચ, ૨૦૨૪થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી ૧૮:૧૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે દ્વારકા ૨૩:૫૪ કલાકે પહોંચીને ૨૩: ૫૯ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૦:૪૦કલાકે ઓખા પહોંચશે.
તેવી જ રીતે રિટર્નમાં ટ્રેન નંબર 22926 ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન ૧૪ માર્ચ, ૨૦૨૪થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન ઓખાથી બુધવાર સિવાય દરરોજ ૦૩:૪૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૦૪.૦૫ કલાકે દ્વારકા પહોંચી ને ૦૪:૧૦ કલાકે ઉપડશે અને ૧૦:૧૦ કલાકે અમદાવાદ પહોંચશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech