હાપા ગામમાં બિમારીથી કંટાળી મહિલાએ જીવાદોરી ટુંકાવી

  • August 30, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાપાની શિવશકિત સોસાયટીમાં રહેતી એક મહિલાએ માનસીક બિમારીના કારણે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી છે. જામનગરના હાપા ખાતે આવેલ શિવશકિત સોસાયટીમાં રહેતા જયોત્સનાબેન બકુલભાઇ મકવાણા (ઉ.વ.૪૯) નામની મહિલાને છેલ્લા સાતેક વર્ષથી માનસીક બિમારી હોય જેના કારણે ગઇકાલે પોતાના રહેણાંક મકાને પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું. આ અંગે બકુલ ચનાભાઇ દ્વારા પંચ-એમાં જાણ કરવામાં આવી હતી.
**
તથીયા ગામના આધેડનું વિજ કરંટ લાગતા મૃત્યુ
ખંભાળિયા તાલુકાના તથીયા ગામે રહેતા રણમલભાઈ કાનાભાઈ પિંડારિયા નામના એક ધરતીપુત્ર પોતાની વાડીએ કપાસમાં પાણી વારતા હતા, ત્યારે આ વાડીમાં રહેલા સ્ટાર્ટર કેબલમાં તેમને જોરદાર વિજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પુત્ર લખમણભાઈ પિંડારીયા (ઉ.વ. ૨૩) એ અહીંની પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application