લાલપુર તાલુકાના ભણગોર ગામમાં ફોજદારના ભાઇની થયેલ હત્યાના કેસમાં સ્પે. પીપી તરીકે પુર્વ જીલ્લા સરકારી વકિલ બિમલભાઇ ચોટાઇની નિમણુંક કરવામાં આવી છે.
લાલપુર તાલુકાના ભણગોર ગામે ગત વર્ષમાં પાણીના ટેન્કરની વ્યવસ્થા અંગેની જુની અદાવતમાં વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.27) નામના યુવાનની હત્યાના બનાવની ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી તરીકે પોલીસમેન રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ જાડેજા તથા જગદીશસિંહ બહાદુરસિંહ અને કુંદનસિંહ રામભા સામે ગુનો નોંધયો હતો અને આગળની કાર્યવાહી કરી હતી.
આ કેસમાં હવે સરકારના કાયદા વિભાગ દ્વારા પુર્વ જીલ્લા સરકારી વકિલ બિમલભાઇ ચોટાઇની સ્પેશ્યલ પીપી તરીકે નિમણુંક કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જામનગરના ચકચારી એડવોકેટ હત્યા કેસમાં પણ ખાસ સરકારી વકિલ નિમાઇ ચુકયા છે આમ જામનગરના હત્યાના ત્રીજા કેસમાં ખાસ સરકારી વકિલની નિમણુંક થવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોક્સો કેસ માટે કોર્ટની સંખ્યા વધારવા સુપ્રીમ કોર્ટનો આદેશ
May 16, 2025 10:22 AMઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech