NEET પેપર લીક મામલે કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ અંગે કોંગ્રેસે અનેક જગ્યાએ પ્રદર્શન પણ કર્યું હતું. હવે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે NTA અધ્યક્ષ પ્રદીપ જોશીની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જોશીએ રાજીનામું આપવું જોઈએ.
દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે ભાજપ એવા લોકોને જ પસંદ કરે છે જેઓ તેમની ઈચ્છા મુજબ ખાય, ખવડાવે અને કામ કરે. કેન્દ્ર સરકારે NTA અધ્યક્ષને કંઈ કહ્યું નથી.
દિગ્વિજય સિંહે કહ્યું, "જ્યારે પ્રદીપ જોશી મધ્ય પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ બન્યા, ત્યારથી પરીક્ષાઓમાં ગેરરીતિઓ થવા લાગી, પેપર લીક થયું, જ્યારે તેઓ છત્તીસગઢ ગયા તો ત્યાં પેપર લીક થયું. જ્યારે તેઓ UPSCમાં ગયા તો ત્યાંથી ફરિયાદો આવવા લાગી. હવે જોશી એનટીએના અધ્યક્ષ છે. ભાજપ એવા લોકોને ચૂંટે છે જેઓ તેમની ઈચ્છા મુજબ ખાય છે, ખવડાવે છે અને તેમનું કામ કરે છે. એચઆરડી મંત્રીએ એનટીએ અધ્યક્ષને કંઈ કહ્યું નહોતું, રાજીનામું ન આપે તો કમસેકમ તેમનું રાજીનામું તો લઈ લો પણ મિલીભગત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech