સરતાનપર ગામે બચરવાળ શ્રમિક યુવાને ફાંસો ખાઈ વ્હોર્યો આપઘાત

  • February 12, 2024 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બચરવાળ શ્રમિક યુવાને પોતાના ઘરે કોઈકારણોસર જાતેથી ગળાફાંસો ખાઈ લેતા તેને ગંભીર હાલતે સારવાર માટે તળાજા ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો.


તળાજા પોલીસ સૂત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ તળાજા તાલુકાના સરતાનપર (બંદર) ગામે રહેતા સંતોષભાઈ કેશાભાઈ બારૈયા (ઉ. વ.૩૨)એ પોતાના ઘરે કોઈકારણોસર જાતેથી ગળાફાંસો ખાઈ લેતા તેને ગંભીર હાલતે ૧૦૮મારફત તળાજાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરતા સંતોષભાઈના પરિવારમાં ભારે શોક છવાયો હતો.

ઘટનાની જાણ થતા તળાજા પોલીસના હે. કો. સવજીભાઈ બોરીચા સહિતનાઓએ હોસ્પિટલ દોડીજઈ સંતોષભાઈના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી મૃતક સંતોષભાઈના ભાઈ મુકેશભાઈએ આવેલા નિવેદનના આધારે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃતક સંતોષભાઈ છેલ્લા કેટલાક સમયથી મજુરી કામ સબબ રાજકોટ હોવાનું તેમજ ત્યાંથી મજુરીકામ પુરૂ કરી ઘરે આવ્યા બાદ કોઈ અકળકારણોસર અંતિમપગલું ભરી લેતા તેમના ૬સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું હતું. બનાવથી સરતાનપર ગામમાં અરેરાટી પ્રસરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application