રાજકોટમાં સ્લેબ તૂટવાની દુર્ઘટનામાં સારવારગ્રસ્ત વૃધ્ધાનું મૃત્યુ નિપજયુ

  • September 26, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના પોશ વિસ્તાર ડો.યાજ્ઞિક રોડ પર સર્વેશ્ર્વર ચોકમાં આવેલા વોંકળા પરનો સ્લેબ અચાનક ધરાસયી થતાં ગંભીર રીતે ઘવાયેલા ભાવનાબેન અશ્ર્વિનભાઈ ઠક્કર ઉ.વ.૬૧ રહે.અંબીકા પાર્ક રૈયારોડએ ૨૪ કલાકની સારવાર દરમિયાન ગતરાત્રે આખરી શ્ર્વાસ લીધા હતા. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.ઘટનાની વિગતો મુજબ સર્વેશ્ર્વર ચોકમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે. જયાં રોજ સાંજે દર્શનાર્થીઓનો પ્રવાહ રહે છે. રવિવાર હેવાથી દર્શનાર્થીઓ પણ વધુ હતા. વૃધ્ધા ભાવનાબેન પણ પતિ અશ્ર્વિનભાઈ સાથે દર્શને ગયા હતા. દર્શન કર્યા બાદ દંપતી ત્યાંથી નજીકમાં વોંકલા પરના સ્લેબના ભાગે આવેલી નાસ્તાની દુકાન પર પહોંચ્યા હતા. દુકાન બહાર અન્યો સાથે સ્લેબ પર ઉભા હતા એવામાં અચાનક અંદાજે ૨૦ ફટથી વધુ લાંબો સ્લેબ ધરાસયી થયો હતો. સ્લેબ પર ઉભેલા ૩૫ જેટલા વ્યકિત વોંકળામાં નીચે ખાબકયા હતા. ભારે ચિચિયારીઓ થઈ પડી હતી.

૨૦થી વધુ ઈજાગ્રસ્તોને વોંકળામાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવારમાં ખસેડાયા હતા. ભાવનાબેન ઠક્કરને ગંભીર ઈજા થઈ હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓએ ગઈકાલે ૨૪ કલાકની સારવારના અંતે મોડી સાંજે દમ તોડયો હતો. અન્ય ઈજાગ્રસ્તોની હાલત સુધારા પર હોવાનું અને ઘણાખરાને ડિસ્ચાર્જ પણ કરી દેવાયા હોવાનું જાણવા મળે છે.એ ડિવિઝનના એએસઆઈ કાજલબેન માઢકે આકસ્મિક મોતની એન્ટ્રી આધારે નિયમ મુજબ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application