પોરબંદરમાં જુલાઇ મહિનામાં વધુ વરસાદથી થયેલ પાકની નુકશાનીનું મળશે વળતર

  • September 11, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં જુલાઇ મહિનાની ૧૮ થી ૨૩ તારીખ દરમિયાન વધુ વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટુ નુકશાન થયુ હતુ તેથી તેનું વળતર મેળવવા માટે કિશાનો ૩૦  સપ્ટેમ્બર સુધીમાં ખેડૂતો આધાર-પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરે તેવી  અપીલ થઇ છે.
પોરબંદર જિલ્લામાં ખરીફ ઋતુમાં તા. ૧૮ થી ૨૩ જુલાઈ દરમિયાન થયેલા વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયેલ હોય, જેથી ખેડૂતોને ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની પાક નુકસાનીની મર્યાદામાં સહાય ચૂકવવા માટે એસ.ડી.આર.એફ. તથા રાજ્ય બજેટ અંતર્ગત કૃષિ રાહત પેકેજ સરકારે જાહેર કર્યું છે. સહાય મેળવવા માટે ખેડૂતોએ ગામ નમુના નંબર ૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો, ગામ નમુના નંબર ૭-૧૨, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, આઈ.એફ.એસ.સી. કોડ, નામ દર્શાવતી બેંક પાસબુક, પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહીવાળો નાવાંધા અંગેનો સંમતિપત્ર સહિતની સાધનિક વિગતો સાથે રજૂ કરવાના રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ધરા કેન્દ્ર ખાતેથી વી.સી.ઈ., વી.એલ.ઈ. મારફત આગામી તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તેવું પોરબંદર જિલ્લા પંચાયત, જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application