ભાવનગર શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ -ચાર દિવસથી વરસાદી માહોલ છવાયો છે. અને ગાજવીજ સાથે છુટાછવાયા સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. દરમ્યાન ગઈકાલે બપોર બાદ જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામે વરસાદી માહોલ સાથે ભારે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ થઇ હતી. જે દરમ્યાન ખેતરમાં કામ કરી રહેલી મહુવા તાલુકાના ગુંદરણા ગામની કિશોરી પર વગર વરસાદે અચાનક આકાશી વીજળી ત્રાટકતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાથી શોક સાથે અરેરાટી પ્રસરી હતી.
મહુવા તાલુકાના ગુંદરણાના વતની અને તળાજા તાલુકાના પાદરગઢ ગામે વાડીમાં ભાગ રાખીને રહેવા માટે ગયેલ હતા ત્યારે ગઈકાલે બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા થતા હતા. તે વેળાએ પાદરગઢ ગામે ખેતી કામ કરતા હતા ત્યારે અચાનક વૈશાલીબેન નાથાભાઈ ઝંઝવાડીયા ( ઉ. વ.૧૫) ઉપર અચાનક વીજળી પડતા વૈશાલીબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ તુરંત તેમણે નજીકની ૧૦૮ મારફ્તે તળાજા ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા તળાજા ખાતે પોસ્ટ મોર્ટમ થયા બાદ ત્યારબાદ કિશોરીના મૃતદેહને પાદરગઢ ગામે લાવીને અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ બનાવથી આજુબાજુના વિસ્તારમાં શોક સાથે અરેરાટી પ્રસરી હતી. સાથે વગર વરસાદે આકાશી વીજળીએ કિશોરીનો ભોગ લેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMસરકારના ૫૪૩ ભ્રષ્ટ્રાચારી અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહીની મંજૂરી બાકી
September 20, 2024 12:49 PMદુષ્કર્મની ફરિયાદ કરવા આવેલી આર્મી ઓફિસરની મંગેતરને મારપિટ કરી પોલીસે આપી રેપની ધમકી
September 20, 2024 12:44 PMત્રિલોકપુરીમાં મોટી દુર્ઘટના ટળી, રસ્તાની વચ્ચોવચ કાર સમાઈ જાય એવડો મોટો ખાડો પડ્યો
September 20, 2024 12:44 PMબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech