ઉપલેટા તાલુકાના તાલાળા ગામે દોઢ માસ પહેલા દીકરીના પ્રેમ સંબંધને કારણે ખંભાળીયા તાલુકાના દેવળીયા ગામના પ્રેમી નિલાખા ગામે તેની પ્રેમીકાને મળવા આવતા દીકરીના પિતા સહિતનાઓએ ઢોર માર મારતા અમદાવાદ સારવાર દરમિયાન પ્રેમીનું મોત તાં મારામારીનો ગુનો હત્યામાં પલટાયો હતો ત્યારે પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. જયારે બીજો આરોપી નાસી છુટતા તેને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત તી વિગતો પ્રમાણે જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના દેવળિયા ગામે રહેતા સુમાન પરબત વરૂ (ઉ.વ.૨૪)ને નિલાખા ગામે રહેતા સુમાન ભીખા કરમુરની દીકરી અંજુ સો પ્રેમ સંબંધ હોય તેથી તેને નિલાખા ગામે આવેલ વાડીમાં પ્રેમી મળવા આવતા આ વાતની જાણ અંજુના પરિવારને તાં અંજુના પિતા સુમાન ભીખા કરમુર અને કરશન ઉર્ફે કચરા ભીખા કરમુરે દીકરીના પ્રેમી ઉપર લાકડી પાઇપી ઢોર માર મારી મુઢ ઇજા કરી પગમાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી. માર માર્યા બાદ પ્રેમીના ભાઇ રાયદેને ફોન કરી જાણ કરતા મૃત્યુ પામનાર સુમાનના ભાઇ રાયદે પરબત વરૂ નિલાખા ગામે રોડ પર આવતા તેના ભાઇને ટ્રેકટરમાં માર મારેલી હાલતમાં જોતા પ્રમ તેને ખંભાળિયા હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાંી જામનગર જી.કે. હોસ્પિટલમાં ત્યાંથી રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં અને છેલ્લે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરેલ પણ સારવાર કારગત નહીં નિવડતા આખરે સુમાન પરબત વ (ઉ.વ.૨૪)નું મોત તા આ ગુનો હત્યામાં પલટાયો હતો. જેમાં જે તે વખતે આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. જયારે બીજો આરોપી કરશન ભીખા કરમુર નાસતો ફરતો હોય તેને ગઇકાલે ઉપલેટાના પીઆઇ ગોહિલે ચોકકસ બાતમીને આધારે ઝડપી લીધો હતો. દેવળિયાના રામદે પરબત વરૂની ફરિયાદને આધારે ઉપલેટા પોલીસે નિલાખા ગામના સુમાન ભીખા કરમુર અને કરશન ઉર્ફે કચરા ભીખા કરમુરની સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે બન્નેને કોર્ટમાં રજુ કર્યા હતાં. આ અંગેની વધુ તપાસ સનિક પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech