ભાવનગર જિલ્લામાં હળવા વરસાદની આગાહી વચ્ચે ગુરૂવારે બપોરથી સાંજ સુધીમાં મહુવામાં એક, તળાજામાં અર્ધો ઈંચ ધોધમાર વરસાદ પડયો હતો.
ભાવનગર શહેરમાં મધ્ય વિસ્તારમાં ૩ મિમી.,જ્યારે પરા વિસ્તારોમાં અર્ધો ઈંચથી વધુ , જેસરમાં પા ઈંચ,ગારીયાધાર, ઘોઘા,પાલીતાણામાં ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગે ભાવનગર જિલ્લામાં ગુરૂવારે વરસાદની આગાહી કરી હતી. મહુવામાં બુધવારે બપોરથી સાંજે છ વાગ્યા સુધીમાં એક ઈંચથી વધુ ધોધમાર વરસાદ પડ્યો હતો.આથી અનેક સ્થળોએ પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી હતી.મહુવામાં આ સીઝનનો કુલ વરસાદ ૫૦ ઈંચથી વધુ થયો છે.
તળાજામાં પણ બપોરના સુમારે મેઘસવારી આવી પહોંચી હતી અને જોતજોતામાં અર્ધા ઇંચથી વધુ પાણી પીરસી દીધુ હતુ.તળાજા શહેર ઉપરાંત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો.
ભાવનગર શહેરમાં બપોર સુધી મેઘવિરામ રહયો હતો.વાદળછાયા વાતાવરણમાં સવારે થોડા છાંટા પડ્યા બાદ બપોર પછી વાતાવરણ પલટાયું હતું.વિજ ગર્જના સાથે શહેરના પરા વિસ્તારો જેવા કે ભરતનગર, કાળિયાબીડ, સિદસર રોડ,શાસ્ત્રીનગર વગેરે વિસ્તારોમાં અર્ધો ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.જ્યારે શહેરના મધ્ય વિસ્તારમાં ફકત ૩ મિમી. પાણી પડયુ હતુ.અને પા ઈંચ વરસાદ પડ્યો હતો. નવરાત્રીના ખેલૈયાઓ વરસાદના કારણે ચિંતિત બન્યા હતા.જો કે રાત્રે વરસાદ ન આવતા રાહત થઈ હતી.
જેસરમાં પા ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.જ્યારે,ગારીયાધાર,ઘોઘા અને પાલીતાણામાં બપોર બાદ હળવા ઝાપટા પડયા હતા. જ્યારે સિહોર વલભીપુર અને ઉમરાળામાં મેઘરાજાનું આગમન થયું ન હતું. બુધવારે બપોરથી સાંજે છ વાગ્યા સુધીમાં મહુવામાં ૨૮,ભાવનગર શહેરમાં ૩, તળાજામાં ૧૬,જેસરમાં ૮,ઘોઘામાં ૪,ગારિયાધારમાં ૨ અને પાલીતાણામાં ૧ મિ.મી.વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech