ઉત્તરાખંડના નૈનીતાલમાં બસ ખીણમાં ખાબકી હતી અને બસમાં સવાર ૩૨ મુસાફર પૈકી ૬ ના ઘટના સ્થળે જ મોત થયા હતા. બનાવ ની જાણ થતા જ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો દ્રારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી . ઈજાગ્રસ્ત મુસાફરોને ઘટના સ્થળેથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે. હાલની પ્રાથમિક માહિતી મુજબ બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો હરિયાણાના હિસાર જિલ્લાના રહેવાસી છે.
ઉત્તરાખંડના નૈનીતાલમાં એક મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. આ અકસ્માત નૈનીતાલના કાલાધુંગી રોડ પર નલ્ની પાસે થયો હતો. બસમાં ૩૨ લોકો સવાર હતા. જે હિસારથી નૈનીતાલ ફરવા આવ્યા હતા. બસ ખીણમાં પડતાની સાથે જ ઘટનાસ્થળે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો દ્રારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૬ મુસાફરોના મોત થયા છે.
ઘાયલ મુસાફરોને ઘટના સ્થળેથી બચાવી લેવામાં આવ્યા છે અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો બાકીના મુસાફરોને શોધવા માટે ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહી છે. બસ કયા કારણોસર ખીણમાં પડી? એ હજુ સુધી જાણી શકાયું નથી. હોસ્પિટલમાં દાખલ ઘણા ઘાયલ મુસાફરોની હાલત નાજુક છે.સ્થળ પરથી જાણવા મળ્યું કે બસમાં ૩૨ લોકો મુસાફરી કરી રહ્યા હતા. જે હરિયાણાના હિસારથી નૈનીતાલ ફરવા આવ્યા હતા. યાં રવિવારે રાત્રે બસ ડ્રાયવરના કાબૂ બહાર નીકળી ગઈ હતી અને ખાડામાં પડી હતી. આ અકસ્માતમાં ૬ મુસાફરોના મોત થયા છે. બાકીના મુસાફરોને મોડી રાત સુધી બચાવવાની કામગીરી ચાલુ હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બસ ખીણમાં પડી જવાની ઘટના પર દુ:ખ વ્યકત કયુ છે. ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. તેમણે ઘાયલ મુસાફરોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી.
પિથૌરાગઢમાં બોલેરો પર મોટો પથ્થર પડો
બીજી તરફ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ધારચુલા–ગુંજી રોડ પર બોલેરો પર પહાડનો પથ્થર પડવાની ઘટના સામે આવે છે. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત ૯ લોકોના મોત થયાની આશંકા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએકનાથ શિંદે સરકાર ફરી ટેન્શનમાં, મનોજ જરાંગેએ ચૂંટણી પહેલા આપ્યું અલ્ટીમેટમ
September 17, 2024 06:47 PMસળગતી ચિતા પર ચોખા રાંધ્યા, ખોપરી પણ ઉપાડી ગયા, આવી રીતે આપ્યો તંત્રવિદ્યાને અંજામ
September 17, 2024 06:37 PMભારતના સૌથી યુવા CEO લક્ઝરી કાર કેમ નથી ખરીદતા? રાધિકા ગુપ્તાએ જણાવ્યું ચોંકાવનારું કારણ
September 17, 2024 06:35 PMકોરોના વાયરસનો નવો ખતરો: 27 દેશોમાં ફેલાયો નવો વેરિયન્ટ, જાણો કેટલો ખતરનાક
September 17, 2024 06:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech