જૂનાગઢમાં સરદારપરા વિસ્તારમાં પાણીની લાઈનમાં વહેલી સવારે ભંગાણ થતાં ૧૦ ફૂટ ઊંચા પાણીના ધોધ વછૂટ્યો હતો.હજારો લીટર પાણી નો વેડફાડ થયો હતો. રસ્તા ઉપર પાણી ફરી વળતા ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી.કલાકો સુધી પાણી વહી ગયા બાદ તંત્ર દ્વારા લાઈન રીપેર કરવામાં આવી હતી.
ભૂગર્ભ ગટર, ગેસની લાઈન અને રસ્તાઓ તોડવાની કામગીરીથી જોશીપરાની હાલત ગ્રામ્ય વિસ્તારથી પણ ખરાબ જોવા મળી રહી છે.ત્યારે ગત સપ્તાહે રસ્તાઓ તોડવાના વિરોધમાં સ્થાનિક રહેવાસીઓએ ભૂગર્ભ ગટરના ઢાંકણા પર ખાંભી બનાવી તંત્રને જાગૃત કરવા પ્રયાસ કર્યા હતા.ત્યારે ગઈકાલે વહેલી સવારે સરદારપરા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા કલાકો સુધી પાણીના ધોધ વછૂટતા હજારો લિટર પાણી વહી ગયું હતું અને પાણીની નદીઓ વહેતા સમગ્ર રસ્તા પર ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી.સવારે રસ્તા પર થી પસાર થતા વાહનો અને સવારે દુકાને આવેલ વેપારીઓ પણ સમગ્ર વિસ્તારમાં પાણીની નદી નિહાળી અચંભીત થયા હતા. ઓજી વિસ્તાર ગણાતા સરદાર પરામાં ભૂગર્ભ ગટરની કામગીરી માટે રસ્તાઓ તોડવામાં આવતા અગાઉ વીજ લાઈનમાં પણ ભંગાણ થયું હતું અને વિસ્તારમાં અંધારપટ છવાયો હતો ત્યારે પીજીવીસીએલ દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ પણ અપાય હતી રસ્તાઓ તોડવાની કામગીરીથી પાંચ દિવસ પહેલા પાણીની લાઈન તૂટી હતી જેને તંત્ર દ્વારા રીપેરીંગ કરવામાં આવી હતી પરંતુ મરામત કરાયેલ પાણીની લાઈનમાં ફરીથી ભંગાણ થતા સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.જોષીપરામાં અગાઉથી જ બે દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો હોવા છતાં સમગ્ર વિસ્તારમાં છતે પાણીએ પણ પાણી કાપ લાદવામાં આવી રહ્યો છે. હજારો લિટર પાણી વહી ગયા બાદ તંત્ર દ્વારા લાઈન રીપેરીંગ કરવામાં આવી હતી. પરંતુ તંત્રની બેદરકારીથી આ જ વિસ્તારમાં પાંચ દિવસમાં બીજીવાર પાણીની લાઈન તૂટવાથી એક સાંઘેને તેર તૂટે જેવી સ્થિતિથી રહેવાસીઓમાં પણ રોષ ફેલાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech