જેસર તાલુકામાં પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રો ઉપર સંચાલકોની ભરતી કરશે

  • September 07, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેસર તાલુકાનાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર નં.૩-ઇટીયા, ૫-કરજાળા,૨૪-જેસર (મકવાણાવાડી), ૪૨-રબારીકા, ૫૬-માતલપર પરા,૫૯-જેસર (મારૂતીનગર) અને ૬૦-નવી કાંત્રોડી ઉપર સંચાલકની ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણૂક કરવાની થાય છે. ઉપર મુજબના પી.એમ.પી.એમ.પોષણ કેંદ્રો પર જરૂરી લાયકાત ધરાવતા ધોરણ ૧૦ પાસ,ઉ.વ.૨૦ થી ૬૦ ની હોય તેવા ઉમેદવારોએ નિયત નમુનાનું અરજી ફોર્મ મધ્યાહન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી-જેસર ખાતેથી વિનામુલ્યે તા.૫-૯-૨૦૨૪ થી તા.૧૩-૯-૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન અરજી ફોર્મ મેળવી તેમાની સંપુર્ણ વિગતો ભરીને ફોર્મ મુજબના જરૂરી ડોક્યુમેન્ટસ સાથે અત્રેની મધ્યાહ ભોજન યોજના શાખામાં રજૂ કરવા. સ્ત્રી ઉમેદવારના કિસ્સામાં વિધવા/ત્યક્તા/નિરાધારને લાયકાતના ધોરણે અગ્રતા આપવામાં આવશે.અધુરી વિગતે રજૂ થયેલ ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહીં તેમ મામલતદાર જેસરની યાદીમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application