જાપાનમાં વાવાઝોડાથી તબાહી ૫૦ લાખ લોકોએ કર્યું સ્થળાંતર

  • August 30, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


'શાનશાન' વાવાઝોડાએ જાપાનમાં તબાહી મચાવી છે. ભારે પવન અને વરસાદને કારણે ભૂસ્ખલન પણ થયું છે. આમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪ લોકોના મોત થયા છે, યારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ છે. ખતરાને ધ્યાનમાં રાખીને, ૫૦ લાખથી વધુ લોકોને તેમના ઘર ખાલી કરીને સલામત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે આ ચક્રવાત ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. સરકારે જોખમી વિસ્તારોમાં એલર્ટ જાહેર કયુ છે. હવાઈ અને રેલ વ્યવહાર બધં કરી દેવામાં આવ્યો છે. ઘણા વિસ્તારોમાં ૨.૫ લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ટાયફન દક્ષિણ–પશ્ચિમ ટાપુ કયુશુની નજીક પહોંચતા ફેકટરીઓ બધં કરવામાં આવી હતી અને સેંકડો લાઇટસ રદ કરવામાં આવી હતી. વાવાઝોડાની ઝડપ ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં પહેલેથી જ ૭૦૦ મીમીથી વધુ વરસાદ પડી ચૂકયો છે, જે આખા વર્ષમાં લંડનમાં જેટલો વરસાદ પડે છે તેટલો જ છે.

જાપાની મીડિયા અનુસાર, સેન્ટ્રલ આઈચી પ્રીફેકચરમાં ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં, યારે પશ્ચિમમાં ટોકુશિમામાં છત તૂટી પડતાં એક ૮૦ વર્ષીય વ્યકિતનું મૃત્યુ થયું હતું. અત્યાર સુધીમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જયારે ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. જાપાનની હવામાન એજન્સીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટોકયોમાં ઘણી નદીઓ પૂરના જોખમના સ્તરને પાર કરી ગઈ છે. મેગુરો, નોગાવા અને સેંગાવા નદીઓ પાસે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સરકારી વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હાલમાં ૨૧૯ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ લાઈટસ કેન્સલ કરવામાં આવી છે. સરકારે કહ્યું કે તોફાનના કારણે ૮ લાખ લોકોને અહીંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવશે. રાજધાની ટોકયોમાં બુલેટ ટ્રેન, ટ્રેન, લાઇટ અને ટપાલ સેવાઓ બધં કરી દેવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application