જામનગરમાં ચિલઝડપનો ભેદ ખુલ્યો : બે ઝબ્બે

  • August 30, 2023 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અને સોનાનો ચેન કબ્જે લેતી પોલીસ

જામનગરમાં ૨૫ હજારના સોનાના ચેનની ચિલઝડપનો ભેદ પોલીસે ઉકેલીને મુદામાલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.
સીટી-એ પીઆઇ ચાવડા, પીએસઆઇ વાળા અને સ્ટાફ ચેન ચિલઝડપનો બનાવનો ભેદ ઉકેલવા પ્રયત્નશીલ હતા, દરમ્યાન સ્ટાફને મળેલી બાતમીના આધારે બે દિવસ પહેલા શહેરમાં એસટી રોડ પર બનેલા ચિલઝડપના આરોપી અંગે વોચમાં રહીને તળાવની પાળ નજીકના વિસ્તારમાંથી મોરકંડા રોડ, રાજ સોસાયટી-૫માં રહેતા શાહનવાઝ ઉર્ફે કારીયો શબીર શાહમદાર અને કાલાવડ નાકા બહાર અકબરશા મસ્જીદ ચોકમાં રહેતા નવાઝખાન અયુબખાન પઠાણ બંનેને પકડી લીધા હતા.
અંગજડતી કરતા તેની પાસેથી સોનાનો ૨૫ હજારની કિંમતનો ચેન અને ગુનામાં ઉપયોગમાં લીધેલુ એકટીવા નં. જીજે૧૦ડીસી-૮૮૮૫ કબ્જે કર્યુ હતું અને ચેન સ્નેચીંગનો વણશોધાયેલો ગુનો ડીટેકટ કર્યો હતો, આરોપી નવાઝખાન સીટી-એના દસ ગુનામાં તથા પંચ-બી અને રાજકોટના એક ગુનામાં સંડોવાયેલ છે જયારે આરોપી કારીયો સીટી-એના બે ગુનામાં સંડોવાયેલો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application