જામનગર શહેરમાં મૂળ રાજસ્થાની અને જામનગરમાં લાંબા સમયથી વસવાટ કરતા મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગઈકાલ રવિવારના રોજ પરિવારના ઉજવળ ભવિષ્ય અને પતિની દીર્ઘાયુ માટે મહિલાઓ દ્વારા અન્ન-જળ આરોગ્ય વગર સવારથી રાત સુધી કરવા ચોથનું વ્રત કરવામાં આવ્યું હતુ.
કહેવાય છે કે, કરવા ચોથનું વ્રત પતિના દીર્ઘાયુ અને પરિવારના સારા ભવિષ્ય માટે મહિલાઓ કરતી હોય છે. જેમાં ગઈકાલે રવિવારના જોગસ પાર્ક નજીક આવેલ એક રહેણાંક મકાનમાં મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ચોથ માતાની પૂજા કરી ચંદ્ર ભગવાનને અર્ધ આપી પતિના હાથે જળનું સેવન કરી વ્રત છોડવામાં આવે છે. અંદાજિત 25 થી 80 વર્ષ સુધીની મહિલાઓ દ્વારા ગઈકાલે આ વ્રત રાખવામાં આવ્યું હતું,
આ સાથે જ જામનગર શહેરમાં વરસાદીની આગાહી વચ્ચે આકાશમાં વાદળો છવાયા હતા ત્યારે મહિલાઓની કપરી પરીક્ષા પણ ભગવાન ચંદ્રએ કરી હતી. મોડી રાત્રે ચંદ્રના દર્શન થતાં મહિલાઓ દ્વારા પતિના હાથે પાણીનું સેવન કરી વ્રત ખુલ્લું કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech