જામનગરમાં વિવાહિત મહિલાઓએ પતિના દીઘર્યિુષ્ય માટે કરવા ચોથ વ્રત રાખ્યું...

  • October 21, 2024 01:22 PM 

જામનગર શહેરમાં મૂળ રાજસ્થાની અને જામનગરમાં લાંબા સમયથી વસવાટ કરતા મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગઈકાલ રવિવારના રોજ પરિવારના ઉજવળ ભવિષ્ય અને પતિની દીર્ઘાયુ માટે મહિલાઓ દ્વારા અન્ન-જળ આરોગ્ય વગર સવારથી રાત સુધી કરવા ચોથનું  વ્રત કરવામાં આવ્યું હતુ.


કહેવાય છે કે, કરવા ચોથનું વ્રત પતિના દીર્ઘાયુ અને પરિવારના સારા ભવિષ્ય માટે મહિલાઓ કરતી હોય છે. જેમાં ગઈકાલે રવિવારના જોગસ પાર્ક નજીક આવેલ એક રહેણાંક મકાનમાં મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ચોથ માતાની પૂજા કરી ચંદ્ર ભગવાનને અર્ધ આપી પતિના હાથે જળનું સેવન કરી વ્રત છોડવામાં આવે છે. અંદાજિત 25 થી 80 વર્ષ સુધીની મહિલાઓ દ્વારા ગઈકાલે આ વ્રત રાખવામાં આવ્યું હતું,

આ સાથે જ જામનગર શહેરમાં વરસાદીની આગાહી વચ્ચે આકાશમાં વાદળો છવાયા હતા ત્યારે મહિલાઓની કપરી પરીક્ષા પણ ભગવાન ચંદ્રએ કરી હતી. મોડી રાત્રે ચંદ્રના દર્શન થતાં મહિલાઓ દ્વારા પતિના હાથે પાણીનું સેવન કરી વ્રત ખુલ્લું કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application