જામનગરમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી રૂા. ૨૬ હજાર રોકડ રકમની ચોરી કરનાર બે ઝડપાયા

  • October 19, 2023 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર ના અશોક સમ્રાટ નગર વિસ્તારમાં એક બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો એ રોકડ રકમ રૂા. ૨૬ હજાર ની ચોરી ગયા હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતી જે ચોરીનાં બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને બે તસ્કરોને ઝડપી લીધા છે.


શહેરના ખોડિયાર કોલોની વિસ્તાર ના અશોક સમ્રાટ નગરમાં રહેતા ધર્મેન્દ્રસિંહ લખુભા જાડેજા એ નોંધાવેલી ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યુ હતું કે, ગત તા. ૧૬ /૧૦/૨૩  ના રોજ ફરિયાદીના માતા સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરને તાળુ મારી મેહુલનગર પોસ્ટ ઓફિસે પૈસા ઉપાડવા ગયા હતાં અને સાડા બાર વાગ્યાના  અરસામાં ઘરે પરત ફર્યા હતા. ત્યારે ઘર ખોલી અંદર જોતા અંદરના રૂમનો પાછળ નો દરવાજો ખુલ્લો હતો, અને તિજોરી પણ ખુલી હતી, તેમજ તિજોરીમાં ઘર વપરાશ માટે  રાખેલા રોકડા રૂપિયા ૨૬ હજાર પણ જોવા ન મળતાં  તેમણ તાત્કાલિક તેમના પુત્રને જાણ કરતાં તેઓ ઘરે આવ્યા પછી  પોલીસને જાણ કરી હતી.


જેથી  પોલીસે તેમની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. અને આ ચોરી કરનાર મહેશ રમેશભાઈ બોન્દ્રે ( રે .તિરુપતિ સોસાયટી ) અને હુશેન મયુદ્દીન બ્લોચ ( રે. અશોક સમ્રાટ નગર ) ને ઝડપી લઈ તેમના કબ્જા માંથી રૂ.૨૬ હજાર ની રોકડ કબજે કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application