ગીરગઢડામાં સિંહણે બે સિંહબાળ સાથે વાછરડાનું મારણ કરી મિજબાની માણી

  • August 08, 2024 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીર બોર્ડર નજીક આવેલ ગીરગઢડા ગામમાં સિંહ પરિવાર અવાર નવાર આવી જતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પંદર દિવસ પહેલા પણ ચાલુ વરસાદમાં સિંહે ગામમા પશુનું મારણ કરી મિજબાની માણી હતી. ત્યાં ફરી વહેલી સવારના સમયે ગીરગઢડા શહેરમાં મુખ્ય બજારમાં એક સિંહણ અને તેના બે સિંહબાળ સાથે રહેણાંક વિસ્તારમાં એક પશુનું મારણ બાદ મિજબાની માણી હતી. જે સમગ્ર ઘટનાનો વિડીયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેદ કર્યેા હતો. જે વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. ગીરગઢડામાં પટેલપરા વિસ્તારમાં રસ્તા પર એક વાછરડા પર એક સિંહણ અને તેના બે બચ્ચાં સાથે હત્પમલો કરી શિકાર કર્યેા હતો અને શેરીની અલગ અલગ ગલીઓમાં આંટાફેરા મારતા નજરે પડા હોય આમ અવાર નવાર સિંહ પરિવાર ગામમાં રહેણાંક વિસ્તારમાં આવી પશુઓના મારણ થી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application