ચારધામની સરળ યાત્રા માટે સરકાર અને વહીવટીતંત્રના વ્યવસ્થાના દવાઓ પોકળ સાબિત થયા છે. વ્યવસ્થાના અભાવે યાત્રાએ આવેલા અનેક શ્રદ્ધાળુઓ ધામોના દર્શન કર્યા વિના જ ઘરે પરત ફરવા લાગ્યા છે. વહીવટીતંત્રે અસ્થાયી નોંધણીની વ્યવસ્થા પણ શ કરી હતી, પરંતુ અત્યાર સુધીમાં લગભગ ચાર હજાર શ્રદ્ધાળુઓ ઋષિકેશથી ઘરે પરત ફર્યા છે. પરત ફરેલા તીર્થયાત્રીઓએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ ઉત્તરાખડં પહોંચ્યા પછી પણ ધામોના દર્શન કરી શકયા નથી. આ તેના જીવનનો સૌથી ખરાબ અનુભવ છે. આ લોકોની હંગામી નોંધણી પણ રોકી દેવામાં આવી હતી અને પછી આ સિસ્ટમ પણ બધં થઈ ગઈ હતી. ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં ૩૯ યાત્રીઓના મોત થયા છે. ૩૯ પૈકી સૌથી વધારે મોત કેદારનાથ ધામમાં થયા છે. યમુનોત્રીમાં ૧૨ લોકો તો ગંગોત્રીમાં સાત શ્રદ્ધાળુના મોત થયા છે. યાત્રીઓના હેલ્થ સ્ક્રીનિંગ પર ઉત્તરાખડં સરકારનું ફોકસ છે. સોમવાર સાંજ સુધીમાં સવા સાત લાખ લોકો ચાર ધામ પહોંચ્યા હોવાનું નોંધવામાં આવ્યુ છે.
ટ્રાન્ઝિટ કેમ્પ એડમિનિસ્ટ્રેશન અનુસાર, ૧૨ હજારની સામે માત્ર છ હજાર પેસેન્જરોની કામચલાઉ નોંધણી થઈ શકી હતી. બાકીના છ હજાર પૈકી ચાર હજાર જેટલા યાત્રિકો દર્શન કર્યા વિના પરત ફર્યા છે. લગભગ અઢી હજાર શ્રદ્ધાળુઓ હજુ પણ ટ્રાન્ઝિટ કેમ્પ પરિસર અને ધર્મશાળાઓમાં રોકાયા છે.
ઋષિકેશ એઆરટીઓ ઓફિસમાં ૪ એપ્રિલથી ગ્રીન કાર્ડ બનાવવાનું શ કરવામાં આવ્યું છે. ૨૦ મે સુધી અહીંથી ૧૬,૯૨૩ વાહનો માટે ૨૩,૦૬૩ ગ્રીન કાર્ડ અને ટ્રીપ કાર્ડ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આ વાહનોમાં ૧,૫૨,૯૬૩ શ્રદ્ધાળુઓ ઋષિકેશથી ધામના દર્શન કરવા ગયા છે. પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર ૧૧,૫૨૦ વાહનો રવાના થયા છે. વિભાગે ૧,૪૦૦ વાહનોના ચલણ જારી કર્યા છે અને ટ્રાફિકના નિયમોના ભગં બદલ ૨૦ વાહનો જ કર્યા છે
ઓનલાઈન, ઓફલાઈન બંને રજિસ્ટ્રેશન બંધ
આફલાઇન રજિસ્ટ્રેશન બધં હતું ત્યારે ઋષિકેશમાં રોકાયેલા લગભગ ૧૨ હજાર યાત્રાળુઓને ધામની મુલાકાત લેવાની મંજૂરી આપવા વહીવટીતંત્રે હંગામી નોંધણીની વ્યવસ્થા કરી હતી. વહીવટીતંત્રની યોજના હતી કે કામચલાઉ નોંધણી કર્યા પછી, આ યાત્રાળુઓને પવિત્ર સ્થળોએ મોકલવામાં આવશે, પરંતુ આવું કઈં થઈ શકયું નહીં. વહીવટીતંત્રે સોમવારે સાંજે લગભગ ૫ વાગ્યે કામચલાઉ નોંધણી સિસ્ટમ પણ બધં કરી દીધી હતી
નોંધણી શરૂ ન થાય ત્યાં સુધી ૮૦૦ મુસાફરોનું રોકાણ
વહીવટીતંત્રે ૩૧ મે સુધી આફલાઇન રજિસ્ટ્રેશન બધં રાખવાનો નિર્ણય લીધો છે. ટ્રાન્ઝિટ કેમ્પમાં રોકાયેલા મુસાફરોમાંથી લગભગ ૮૦૦ મુસાફરોએ આફલાઇન નોંધણી શ ન થાય ત્યાં સુધી અહીં રહેવા નક્કી કયુ છે. તે કહે છે કે ધ્રુવે અનિશ્ચિત સમય માટે ભગવાનની રાહ જોઈ હતી. અમે આફલાઇન નોંધણી શ થવાની પણ રાહ જોઈશું. વહીવટીતંત્રનું કહેવું છે કે આ મુસાફરો માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMગરમ અને ઉકળાટ વાળા વાતાવરણમાં પણ આ નાનકડા છોડ ઘરને રાખે છે ઠંડુ અને ફ્રેશ
July 05, 2024 11:21 PMભારતીય ક્રિકેટર્સ માટે ઝાડ પર ચડેલા ફેનને જોઈ સૌ કોઈ ચોકયા, ખેલાડીઓએ શખ્સને આપી સલાહ
July 05, 2024 11:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech