ભીલવાડામાં ભંગારના વેપારીનું સામ્રાજ્ય મનપા તંત્રએ કર્યું ખતમ

  • February 14, 2024 05:53 PM 

મહાપાલિકા તંત્ર દ્વારા શહેરના ભીલવાડા વિસ્તારમાં ભંગારના વ્યવસાયી દ્વારા વર્ષોથી કરેલા દબાણો હટાવી સામ્રાજ્ય ખત્મ કર્યું હતું. ભીલવાડા વિસ્તારમાં વેપારી દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવા મ્યુ. તંત્રની અનેક સૂચનાઓ ગણકારાતી ન હતી.

આખરે આજે કમિશ્નરની સીધી સૂચના હેઠળ મ્યુ. દબાણ હટાવ સેલના કાફલાએ જેસીબી સહિતની સાધન-સામગ્રી સાથે ત્રાટકી દબાણોનો સફાયો કર્યો હતો. જોકે દબાણ હટાવ કાર્યવાહી કરવા ગયેલા કાફલા સમક્ષ વેપારી દ્વારા મહેતલ માંગવામાં આવી હતી. પરંતુ તંત્રના કાફલાએ દબાણ હટાવ કાર્યવાહી પુરી કરી હતી.

ભીલવાડા બાદ દબાણ હટાવ સેલનો કાફલો રાણીકા વિસ્તારમાં પહોંચ્યો હતો અને ગઈકાલે અધીરી રહેલી દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application