કેનેડાના વિકાસમાં હિંદુઓનું મહત્વનું યોગદાન કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવર

  • September 23, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્રારા નિશાન બનાવવામાં આવેલા હિન્દુ સમુદાયને ત્યાંના વિપક્ષી નેતાનું સમર્થન મળ્યું છે. કેનેડાના વિપક્ષી નેતા અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઈલીવરે હિંદુઓ વિદ્ધ ફેલાવવામાં આવી રહેલી નફરત પર નારાજગી વ્યકત કરી છે. તેમણે કહ્યું કે કેનેડાના વિકાસમાં હિંદુઓનું યોગદાન મહત્વનું રહ્યું છે. ભારતીય લોકો કોઈપણ ડર વગર અહી રહી શકે છે.
સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં પિયરે પોલીવરે લખ્યું છે કે પદરેક કેનેડિયન નાગરિકને ભય વિના જીવવાનો અધિકાર છે અને આ દેશમાં દરેક સમુદાયનું સ્વાગત છે. તાજેતરના સમયમાં અમે કેનેડામાં હિંદુઓ વિદ્ધ દ્રેષપૂર્ણ ટિપ્પણીઓ જોઈ છે અને અમે તેનો સખત વિરોધ કરીએ છીએ. દેશના દરેક ભાગમાં હિંદુઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને કેનેડામાં તેમનું હંમેશા સ્વાગત છે. યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપો લગાવ્યા હતા ત્યારે પિયરે પોઈલીવરે પણ કહ્યું હતું કે વડાપ્રધાને તેમના દાવાના સમર્થનમાં પુરાવા રજૂ કરવા જોઈએ જેથી કેનેડાના લોકો આ મુદ્દે અભિપ્રાય બનાવી શકે.યારે ભારત અને કેનેડાના સંબંધો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે પિયર પૌલિવરે સોશિયલ મીડિયા પોસ્ટ તાજેતરમાં પોસ્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ભારતે ટ્રુડોના આ નિવેદનોને વાહિયાત ગણાવ્યા હતા. બંને દેશો વચ્ચેના ખરાબ સંબંધો વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવતં સિંહ પન્નુએ એક વીડિયો શેર કર્યેા હતો જેમાં તેણે કેનેડાના હિંદુ સમુદાય વિદ્ધ ઝેર ઓકયું હતું અને તેમને કેનેડા છોડીને ભારત પાછા જવા કહ્યું હતું. કેનેડાની સરકાર દ્રારા અને હવે વિપક્ષ દ્રારા પણ આની નિંદા કરવામાં આવી છે અને કેનેડાના હિંદુ સમુદાય પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application