ભારેથી અતિભારે વરસાદના કારણે થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવો: મુખ્યમંત્રી

  • September 19, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્થાને ૧૬મીના બુધવારની સાંજે રાજયમંત્રી મંડળની બેઠક મળી હતી.જેમા બે મુદા પર વિશદ ચર્ચા કરવામા આવી હતી. રાયમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના પરિણામે જમીન મકાન ખેતી વ્યાપાર અને ઉધોગને થયેલા નુકસાન નો તાત્કાલિક સર્વે કરીને નિયમ અનુસાર મળવા પાત્ર સહાય પહોંચાડવી એસડીઆરએફ અને એસડીઆરએફ ના નિયમોને ધ્યાનમા રાખીને આગળ વધવા જણાવવામા આવયુ છે.
આગામી નવેમ્બર–ડિસેમ્બરમાં જિલ્લ ા, તાલુકા, ગ્રામ અને નગરપાલિકાઓ અર્થાત સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે. તે વિસ્તારના પ્રભારી મંત્રીઓ જે તે વિસ્તારોની વિકાસ યોજનાઓના લોકાર્પણ કે ખાતમુહત્પર્ત કરવાની તાકીદે શઆત કરે.
દરમ્યાનમાં તા ૧૬મીએ ગુજરાત મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પણ ગુજરાતમાં અતિવૃષ્ટ્રિની સ્થિતિમાં અસર પામેલાઓને તાકીદની સહાય બાબતે સરકારને માર્ગદર્શન આપ્યું હોવાથી મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી તરફથી આ બાબતે ચર્ચાની સાથોસાથ આદેશ અપાયા છે.
સામાન્ય રીતે મંત્રીમંડળની બેઠક બુધવારે સવારે થતી હોય છે પણ આ વખતે આર ઈ–ઈન્વેસ્ટર સમિટ–૨૦૨૪ના સમાપન પ્રસંગે ઉપરાષ્ટ્ર્રપતિ ધનખડે મહાત્મા મંદિરમાં ઉપસ્થિત હોવાથી મુખ્યમંત્રી, કેબિનેટની બેઠક સાંજે બોલાવવામા આવી હતી.
ગુજરાતમાં ચોમાસાની આ સિઝન દરમ્યાન રાયની કુલ સરેરાશ વરસાદની સરખામણીમાં સરેરાશ ૧૨૫ ટકા વરસાદ પડો છે અર્થાત ૨૫ ટકા વરસાદ વધુ પડો છે. જેમાં કચ્છમાં ૧૮૩ ટકા, સૌરાષ્ટ્ર્રમાં ૧૨૯.૭૮ ટકા, ઉત્તર ગુજરાતમા ૧૦૭.૬૬ ટકા, મધ્ય ગુજરાતમાં ૧૨૧.૧૧ ટકા અને દક્ષિણ ગુજરાતમાં પણ ૧૨૯.૪૭ ટકા વરસાદ પડો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application