23 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના કુંડારકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મુસ્લિમ વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. જ્યારે તેના અંતિમ સંસ્કારનો સમય આવ્યો ત્યારે ઇમામને નમાઝ અદા કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.
ઈમામે તેને બીજેપી સમર્થક ગણાવીને નમાઝ પઢવાનો ઈન્કાર કર્યો હતો
આ સમગ્ર મામલે મૃતકના પુત્ર દિલનવાઝ ખાને જણાવ્યું કે મારા પિતાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. તેને દફનાવતા પહેલા, ઈમામને છેલ્લી નમાઝ માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ ઈમામે નમાઝ અદા કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે જ્યારે મેં તેને નમાજ ન પઢવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે તેઓ બીજેપી સમર્થકની નમાજ અદા નહીં કરે.
આ કેસમાં 5 વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે
આ મામલે મુરાદાબાદના ડીએમ અનુજ કુમાર સિંહનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું કે ફરિયાદ મળી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું ત્યારે ઈમામ દ્વારા છેલ્લી નમાઝ અદા કરવામાં આવી ન હતી. અમે ફરિયાદના આધારે મામલાની તપાસ કરી રહ્યા છીએ. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. મૃતકના પરિવારજનોએ આ સમગ્ર મામલે ડીએમ અને એસએસપીને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. હાલ પોલીસે આ કેસમાં 5 લોકો વિરુદ્ધ FIR નોંધી છે.
તે જ સમયે, જ્યારે મીડિયાએ આ સમગ્ર મામલે આરોપી ઇમામ રાશિદને પૂછ્યું તો તેણે બોલવાનો ઇનકાર કર્યો, રાશીદ છેલ્લા ઘણા સમયથી ઇમામ તરીકે દફન કરતા પહેલા અંતિમ નમાઝ અદા કરી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech