આવતા મહિને ભારતમાં નથિંગ ફોન ૨એ લોન્ચ કરવા માટે તૈયાર નથિંગ ફોનના સીઇઓ કાર્લ પેઇએ ટેસ્લાના સીઇઓ ઈલોન મસ્કને ભારતમાં ટેસ્લાની ફેકટરી કેવી રીતે ખોલી શકે તે માટે એક વિનોદી સલાહ આપી છે.ચાઈનીઝ–સ્વીડિશ ઉધોગસાહસિક કાર્લ પેઈ યુએ ભારતમાં ટેસ્લા ફેકટરી બનાવવા માટે એકસ પ્લેટફોર્મ પર મસ્કને તેનું યુઝરનેમ બદલીને 'ઈલોન ભાઈ' કરવાનું સૂચન કયુ છે. પાઇએ પોતે પોતાનું એકસ યુઝરનેમ બદલીને 'એલોન ભાઈ' રાખ્યું છે.
પાઇના ટીટના જવાબમાં એક યુઝરે કોમેન્ટ કરી કે, તમે ભાઈ છો, તે મામુ બનશે. અન્ય એક યુઝરે લખ્યું, લોકેશન પર પણ આધાર રાખે છે. જો ગુજરાત હોય તો ઈલોન ભાઈ, જો મહારાષ્ટ્ર્ર તો ઈલોન ભાઉ, જો તેલંગાણા તો ઈલોન ગા, જો હરિયાણા તો ઈલોન તાઈ, જો પંજાબ તો ઈલોન પાજી, જો તમિલનાડુ તો ઈલોન અન્ના, જો. પશ્ચિમ બંગાળ પછી ઈલોન દાદા યુઝરનેઈમ રાખવું સારું પડે.
ધ ઈકોનોમિક ટાઈમ્સના તાજેતરના અહેવાલ મુજબ, ઈલોન મસ્કની આગેવાની હેઠળની ટેસ્લા ભારતીય બજારમાં પ્રવેશવાની આરે છે અને સરકાર ૩૦ લાખથી વધુની ઇલેકિટ્રક કાર પર ૨–૩ વર્ષ માટે રાહતદાયક આયાત જકાત લંબાવવાની નીતિને અંતિમ સ્વપ આપી રહી છે. હાલમાં, ભારત ૩૩ લાખથી વધુની કિંમતની કાર પર ૧૦૦% અને તે શ્રેણીની નીચેની કાર માટે ૬૦% આયાત જકાત લાદે છે. જો સરકાર કામગીરીના શઆતના વર્ષેા દરમિયાન વિદેશી ઇલેકિટ્રક વેહિકલ્સ પર ૧૫%ની આયાત ડૂટી ઘટાડી દે તો ટેસ્લાએ ૨ બિલિયન ડોલર સુધીનું રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે.
પ્રથમ ફેકટરી ગુજરાતમાં સ્થાપશે, વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન જાહેરાત થવાની શકયતા
બિઝનેસ ડેઇલીએ જણાવ્યું હતું કે સરકાર બેંક ગેરંટીના આધારે અસ્થાયી ધોરણે આયાત ડુટી ઘટાડવાની વિચારણા કરી રહી છે. ગયા મહિને ગુજરાત વાઈબ્રન્ટ સમિટ દરમિયાન એવા અહેવાલો બહાર આવ્યા હતા કે ટેસ્લા ફેકટરી પશ્ચિમના રાયમાં જ ખુલશે. ભારતમાં ઇલેકિટ્રક વેહિકલ્સ નિર્માતાના પ્રથમ મેન્યુફેકચરિંગ યુનિટની સ્થાપના માટેની વાટાઘાટો તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, તે ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે, એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMબેન્જામિન નેતન્યાહુએ ખામેનીની ધમકી પર કહ્યું, હુમલાનો જવાબ આપવો એ અમારો અધિકાર...
October 06, 2024 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech