જો વિસર્જનમાં કરી ગડબડ તો ગણપતી બાપ્પા થઇ શકે છે નારાજ, કરો આ નિયમોનું પાલન

  • September 09, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સનાતન ધર્મમાં અનંત ચતુર્દશીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્દશી 17 સપ્ટેમ્બરે છે. આ દિવસે ભગવાન ગણેશનું વિસર્જન શુભ સમયે કરવામાં આવશે. તેમજ આ દિવસે સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ગણેશ વિસર્જન દરમિયાન નિયમોનું પાલન ન કરવાથી ભક્ત શુભ પરિણામ મેળવવાથી વંચિત રહે છે. આવો જાણીએ ગણેશ વિસર્જનના નિયમો વિશે.


અનંત ચતુર્દશી શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ 16 સપ્ટેમ્બર 2024 ના રોજ બપોરે 03:10 વાગ્યે શરૂ થઈ રહી છે. જે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 11:44 વાગ્યે સમાપ્ત થશે. 17 સપ્ટેમ્બર મંગળવારે અનંત ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે. ગણેશ વિસર્જન માટેનો શુભ સમય નીચે મુજબ છે.


સવારનું મુહૂર્ત- સવારે 09.11 થી બપોરે 01.47 સુધી.

બપોરનું મુહૂર્ત - બપોરે 03:19 થી 04:51 સુધી.

સાંજના મુહૂર્ત - સાંજે 07:51 થી 09:19 સુધી.

રાત્રિ મુહૂર્ત - રાત્રે 10:47 થી 03:11 સુધી.


ગણેશ વિસર્જનના નિયમો

  • ગણપતિનું વિસર્જન કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તેનું મોઢું ઘર તરફ હોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તમારી પીઠ ઘર તરફ રાખવાથી ભગવાન ગણેશ ક્રોધિત થાય છે.
  • ગણેશ વિસર્જન પહેલા ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરો કે, જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે તેવી અને જાણ્યે-અજાણ્યે થયેલી કોઈપણ ભૂલ માટે તેમની પાસેથી ક્ષમા માગો.
  • વિસર્જન પહેલા ભગવાનની આરતી કરવી જોઈએ અને પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ.
  • ગણપતિ બાપ્પાને શુભ સમયે વિદાય આપવી જોઈએ.
  • પૂજા દરમિયાન ચઢાવવામાં આવતી વસ્તુઓને ભગવાનમાં સાથે જ વિસર્જન કરવી જોઈએ.
  • વિસર્જન સમયે આવતા વર્ષે ભગવાન ગણેશ આવે તેવી શુભકામનાઓ આપવી જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application