ભારતમાં હિન્દુ બોર્ડ નથી તો વકફ બોર્ડની શું જરૂરિયાત?: પ્રવિણ તોગડીયા

  • September 26, 2024 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને પ્રમુખ તથા વિશ્ર્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ અને હિન્દુ રાષ્ટ્રવાદના પ્રખર હિમાયતી ડો. પ્રવીણ તોગડીયાએ પોરબંદરની મુલાકાત લીધી હતી ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ ખુલ્લા મને ચર્ચાઓ કરી હતી જેમાં વકફ બોર્ડની જ‚રિયાત નહી હોવાથી નાબુદ કરી દેવા પણ જણાવ્યુ હતું.
ડો. પ્રવીણ તોગડીયાએ પોરબંદરની મુલાકાત લીધી ત્યારે રાષ્ટ્રવાદી હિન્દુ અગ્રણીઓ સાથે  બેઠક કરી હતી અને એવું જણાવ્યુ હતુ કે હાલ દેશમાં વકફ બોર્ડનો મુદ્ો સળગી રહ્યો છે. હિન્દુસ્તાનમાં હિન્દુ બોર્ડ છે? તેવો સવાલ ઉઠાવીને તેમણે જણાવ્યુ હતુ કે જો ભારતમાં હિન્દુ બોર્ડ નથી તો વકફ બોર્ડની શું જ‚રિયાત છે ?તેમ  જણાવીને વકફ બોર્ડને નાબુદ કરી દેવુ જોઇએ અને તેમાં સુધારા-વધારાની કોઇ જ‚રિયાત નહી હોવાનુ તેમણે જણાવ્યુ હતુ.
ડો. પ્રવીણ તોગડીયાએ નવરાત્રિ અનુસંધાને ખાસ ટકોર કરતા જણાવ્યુ હતુ કે  માત્ર હિન્દુઓ જ દેવીઓની પૂજા કરે છે. અલગ -અલગ પ્રકારના માતાજીઓની  સાધના-આરાધના  કરે છે. મુસલમાનો દેવીની આરાધના કરતા નથી અને માનતા નથી. તેથી તેઓએ નવરાત્રિના રાસગરબાના આયોજનમાં પગ મૂકવો જોઇએ નહીં. કારણકે મુસલમાન દેવીને માનતા નથી, પૂજતા નથી એટલે તેમને ગરબા રહેવાનું કોઇ કારણ નથી. અને હિન્દુએ ધ્યાન રાખવાનું કે દેવીઓની પૂજામાં જે નથી માનતા તેમને આપણે ગરબામાં આવવા દેવા જોઇએ નહીં. 
પોરબંદરના સમુદ્રના જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુકત પાણી વહાવવાનો   મુદ્ો પણ છંછેડીને તેમણે જણાવ્યુ હતુ કે પોરબંદરના સમુદ્રમાં જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુકત પાણી વહાવવા જોઇએ નહી કારણકે તેનાથી માછીમારી ઉદ્યોગને ખૂબ મોટુ નુકશાન પહોંચશે તેમ જણાવીને ડો. પ્રવીણ તોગડીયાએ તે અંગે પણ પ્રોજેકટ સરકાર રદ કરે તેવી અપીલ કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application