પથરીની સમસ્યા ખરાબ જીવનશૈલી અને અસ્વસ્થ આહારના કારણે થાય છે. અયોગ્ય આહારને કારણે કિડનીને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. જો સમયસર આ બાબતોમાં સુધારો કરવામાં આવે તો કિડનીને થતા નુકસાનને અટકાવી શકાય છે. આ સિવાય કિડનીમાં પથરીના લક્ષણો ઘણી રીતે શરીરમાં દેખાય છે.
કિડની સ્ટોનની સમસ્યાના કારણો શું છે?
કિડની એ શરીરનું એક અંગ છે જે લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. તે શરીરમાંથી ગંદકી દૂર કરવાનું પણ કામ કરે છે. પરંતુ જ્યારે આહાર અને જીવનશૈલી ખરાબ હોય છે ત્યારે આ ગંદકી સખત ગઠ્ઠામાં ફેરવાઈ જાય છે. જેના કારણે કિડનીમાં પથરીની સમસ્યા થાય છે. આનાથી ઘણી મુશ્કેલી થઈ શકે છે. કિડનીમાં પથરીના લક્ષણો લાંબા સમય પછી દેખાય છે. જો સમયસર તેની સારવાર કરવામાં આવે તો સરળતાથી તેને દૂર કરી શકાય છે.
કિડની સ્ટોનના લક્ષણો
પીઠ અથવા પેટના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો: જો આ ભાગોમાં અચાનક દુખાવો શરૂ થાય છે. આ દુખાવો ક્યારેક તીવ્ર અને ક્યારેક ઓછો હોય શકે છે.
રક્તસ્રાવ: કિડનીની પથરીને કારણે રક્તસ્ત્રાવ પણ સામાન્ય છે.
પેશાબની નળીમાં બળતરા અને ચેપ: જો પેશાબ કરતી વખતે બળતરા અથવા દુખાવો થાય છે, તો તે કિડનીની પથરી અને ચેપને કારણે હોય શકે છે.
કિડની સ્ટોનના કારણો
શરીરમાં ખનિજોનો અભાવ
જ્યારે કેલ્શિયમ, ઓક્સાલેટ, યુરિક એસિડ જેવા ખનિજો બનવા લાગે છે, ત્યારે તે પથરીનું કારણ બની શકે છે. વધુ પડતું કેલ્શિયમ અને ઓક્સાલેટથી પથરી બને છે.
શરીરમાં પાણીની ઉણપ: વ્યક્તિએ દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. તે પેશાબના પ્રવાહને નિયંત્રિત કરે છે અને કિડનીમાં પથરી બનતા અટકાવે છે.
શરીરમાં પાણીનો અભાવ
જો શરીરમાં પાણીની ઉણપ હોય તો મિનરલ્સ એકઠા થઈને પથરી બને છે.
વધુ પડતું મીઠું, પ્રોટીન અને ખાંડ ખાવાથી કિડનીમાં પથરી થઈ શકે છે.
સ્થૂળતા અને ડાયાબિટીસના કારણે કિડની ઈન્ફેક્શન અને પથરીની સમસ્યા થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech