હાલ પારડીમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ રાજકોટના ઓમનગરમાં રહેતા પતિ સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેને શારીરિક ખોડખાપણ હોઈ જેથી આ બાબતે સાસરિયાઓ મેણા ટોણા મારી તેના પર ત્રાસ ગુજારતા હતા.હાલ પારડી ગામે માવતરના ઘરે રહેતી અને ખાનગી કંપ્નીમાં નોકરી કરનાર રીંકુબેન (ઉ.વ 27) નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં ઓમનગર પ્રજાપતિ સોસાયટીમાં રહેતા પતિ કલ્પેશ વાઘ, સસરા ખાખાભાઈ, સાસુ જયાબેન અને નણંદ રીનાના નામ આપ્યા છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા પાંચેક માસથી અહીં માવતરના ઘરે રિસામણે છે તેણે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે અને નાનપણમાં પડી જવાથી તેને જમણા પગમાં ઓપરેશન કરાવ્યું હતું અને પગમાં ખામી રહી ગઈ હતી.ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન ગત તા. 7/5/2023 ના કલ્પેશ વાઘ સાથે પરિવારની ખુશીથી પ્રેમલગ્ન થયા હતા. લગ્નના ત્રણેક માસ બાદ સાસ નાનીનાની બાબતોમાં ઝઘડા કરવા લાગ્યા હતા અને તને રસોઈ બનાવતા આવડતું નથી સહિતની બાબતોએ મેણાટોણા મારતા હતા તેમજ સસરા કહેતા રીન્કુ રસોઈ બનાવશે તો હું જમીશ નહીં તેમ કહી ઉદ્ધતાઇભર્યું વર્તન કરતા નણંદના છુટાછેડા થઈ ગયા હોય તે પણ અવારનવાર દંપતિના ઝઘડામાં વચ્ચે પડી ચઢામણી કરતી હતી.
સાસુ કહેતા હતા કે, તે મારા દીકરાને ફોસલાવી લીધો છે તારા જેવી ખોડ ખાપણવાળી સાથે કોણ લગ્ન કરે.સસરા પણ પરિણીતાની હાજરીમાં દીકરાને કહેતા અને છૂટાછેડા આપી દે આનું મોઢું જોવા માંગતો નથી ખોડખાપણ હોવાથી પરિવારના સભ્યો તેને સભ્ય ગણતા નહીં અને અવારનવાર ઉતારી પાડતા હતા.
સાસરિયાઓના ત્રાસથી કંટાળી ગત. તારીખ 16/8 ના રોજ પરિણીતાએ એસિડ પી લીધું હતું જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી તે સમયે ખાનગી હોસ્પિટલના પૈસાનો હોવાથી સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. બાદમાં તબિયત સારી થઈ જતા બાદમાં પતિને ફોન કરી તેડી જવા માટે કહેતા તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે, હું તને નહીં તેડી જાવ હવે તારા ઉપર ભરોસો નથી. પતિને સમજાવાની કોશિશ કરવા છતાં તે તેડવા ન આવતા અંતે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજી-2 ડેમના 2 દરવાજા 0.15 મીટર ખોલાયા, હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
July 02, 2024 07:44 PMધોરાજી પાસેનો ભાદર-2 ડેમ 100 ટકા ભરાયો, હેઠવાસના આ ગામના લોકો માટે ખાસ ચેતવણી સંદેશ
July 02, 2024 07:36 PMયુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં 90થી વધુ લોકોના મોત
July 02, 2024 07:17 PMજામનગરમાં કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપે કર્યો દેખાવ, રાહુલ ગાંધી હાય હાય ના નારા લગાવ્યા
July 02, 2024 07:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech