મારે લગ્ન કરવા જ હોત તો કરી લેત:સુષ્મિતા

  • November 20, 2023 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હું પ્રયત્નો કે દ્વિધામાં માનતી નથી તેવો અભિનેત્રીનો સનસનીખેજ ખુલાસ


અભિનેત્રી સુષ્મિતા સેન માત્ર તેના દમદાર અભિનય માટે જ નહીં પરંતુ તેના અંગત જીવન માટે પણ ઘણી હેડલાઇન્સ બનાવે છે. ગયા વર્ષે, જ્યારે લલિત મોદી સાથે અભિનેત્રીના વેકેશનના ફોટા વાયરલ થયા હતા, ત્યારે સુષ્મિતા સેનના ચાહકોમાં સનસનાટી મચી ગઈ હતી. હવે સુષ્મિતા સેને લલિત મોદી સાથેના તેના સંબંધો અને અફેર વિશે ખુલીને વાત કરી છે. તે કહે છે કે હું પ્રયત્નો માં માનતી નથી, જે હું ધરું તે કરી જ લઉં છું. 


સુષ્મિતા સેને હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જ્યાં સુષ્મિતા સેને લલિત મોદી પર વાત કરતા કહ્યું - 'મેં હમણાં જ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી કારણ કે ક્યારેક મને લાગે છે કે જ્યારે લોકો ચૂપ રહે છે ત્યારે તેમના મૌનને નબળાઈ અથવા ડર તરીકે લેવામાં આવે છે. હું હસતી હતી  તે જણાવવા માટે મારે એક પોસ્ટ કરવાની જરૂર છે. એ પછી મારું કામ થઈ ગયું.

ગોલ્ડડિગરના ટેગ વિશે વાત કરતી વખતે, સુષ્મિતાએ કહ્યું - મીમ્સ ખૂબ જ શાનદાર આવી રહ્યા છે. તે મજાની વાત છે, પરંતુ જો તમે કોઈને ગોલ્ડડિગર કહો છો, તો ઓછામાં ઓછું તેની પાસેથી મુદ્રીકરણ ન કરો.


સુષ્મિતા સેને પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું - તે એક અલગ જ અનુભવ હતો. એક અલગ તબક્કો અને વસ્તુઓ બની. જો હું કોઈની સાથે લગ્ન કરવા જઈ રહી હોત, તો હું તેમની સાથે લગ્ન કરી લેત. હું પ્રયત્ન કરતી નથી. હું કાં તો તે કરું અથવા હું ન કરું.

સુષ્મિતા સેન છેલ્લા કેટલાક સમયથી એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે ઘણી વખત જોવા મળે છે. જોકે, અભિનેત્રી કે રોહમને તેમના સંબંધો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

સુષ્મિતા સેનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રીની એક્શન-ડ્રામા-થ્રિલર સિરીઝ આર્યાનો ત્રીજો ભાગ તાજેતરમાં રિલીઝ થયો છે. આર્ય 3 પહેલા, સુષ્મિતા સેન તાલી ફિલ્મમાં શક્તિશાળી પાત્ર ભજવતી જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application