ઐતિહાસિક ચંદ્રયાન-3 પ્રોજેક્ટ પર કામ કરી રહેલા એક વૈજ્ઞાનિકે ISRO એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની વર્તમાન સ્થિતિ વિશે વાત કરી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે ત્રણ કારણોની ચર્ચા કરી જેના કારણે સ્પેસ એજન્સી હજુ સુધી આત્મનિર્ભર બની શકી નથી. ચંદ્રયાન-3 એ ગયા વર્ષે 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો.
અહેવાલ અનુસાર ચંદ્રયાન-3 મિશનમાં કામ કરી ચૂકેલા એરોસ્પેસ સાયન્ટિસ્ટ પાર્થ તિવારીનું કહેવું છે કે અત્યાર સુધી ઈસરો આત્મનિર્ભર બની શક્યું નથી. આ માટે તેણે ત્રણ કારણો પણ આપ્યા છે. આમાં અદ્યતન તકનીકની મર્યાદિત પહોંચ, સંશોધન અને વિકાસ માટે પૂરતા ભંડોળનો અભાવ અને નિયમનકારી અવરોધોનો સમાવેશ થાય છે.
વાત કરતાં તેમણે કહ્યું, 'આ પડકારોને દૂર કરવા માટે આપણે બહુપરીમાણીય પ્રયાસો કરવા પડશે. આમાં એરોસ્પેસ સંશોધનમાં રોકાણમાં વધારો, ટેક્નોલોજી ટ્રાન્સફર માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી, નિયમનકારી પ્રક્રિયાઓને સરળ બનાવવી અને ખાનગી ક્ષેત્રની ભૂમિકામાં વધારો કરવાનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, ISRO ઘણા વિક્રેતાઓ અને સ્ટાર્ટઅપ્સને સ્વદેશી ટેક્નોલોજી વિકસાવવામાં મદદ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે અત્યારે જે પ્રગતિ થઇ છે એ ઝડપથી થઇ છે અને આપણે આગામી દશકામાં એક સફળ એરોસ્પેસ ઉદ્યોગનો વિકાસ થશે. ફંડ વિષે વાત કરતા તેમણે કહ્યું કે ભારતનો સ્પેસ પ્રોગ્રામ વાર્ષિક બજેટના માત્ર 0.25 ટકાનો ઉપયોગ કરે છે, જેમાંથી 10 ટકાથી ઓછો ચંદ્રયાન અને માર્સ ઓર્બિટર મિશન (MOM) જેવા વૈજ્ઞાનિક મિશન માટે જાય છે.'
તેમણે માહિતી આપી કે મોટા ભાગના સંસાધનો સંચાર અને પૃથ્વી અવલોકન ઉપગ્રહો માટે કામ કરે છે. તેઓ સૈન્ય, સમૂહ સંદેશાવ્યવહાર, હવામાનની આગાહી, આપત્તિ વ્યવસ્થાપન, સંસાધનોની દેખરેખ, આયોજન અને શાસન જેવી સેવાઓ પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન જેવા મિશન લાખો યુવાનોને વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ આકર્ષે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech