આઈઆઈટી મદ્રાસને ભૂતપૂર્વ વિધાર્થી તરફથી દાનમાં મળ્યા ૨૨૮ કરોડ રૂપિયા

  • August 07, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈઆઈટી મદ્રાસને તેના ભૂતપૂર્વ વિધાર્થી અને ઈન્ડો–એમઆઈએમના સીઈઓ ડો કૃષ્ણ ચિવુકુલા તરફથી રૂા.૨૨૮ કરોડનું દાન મળ્યું છે. તેમના યોગદાનથી શિક્ષણ અને સંશોધનમાં શ્રેતાને પ્રોત્સાહન મળ્યું છે. આ દાનનો ઉપયોગ શિષ્યવૃત્તિ, સંશોધન અનુદાન કાર્યક્રમો અને નવા વિધાર્થી ફેલોશિપ કાર્યક્રમો સહિત સંખ્યાબધં હેતુઓ માટે કરવામાં આવશે

ઈન્ડિયન ઈન્સ્િટટૂટ આફ ટેકનોલોજી મદ્રાસને અત્યાર સુધીમાં કોઈને ન મળ્યું હોય તેટલું જંગી દાન મળ્યું છે અને આ રકમ ૨૨૮ કરોડ છે.આ દાન આઈઆઈટી મદ્રાસને પ્રતિિત ભૂતપૂર્વ વિધાર્થી ડો. કૃષ્ણ ચિવુકુલા દ્રારા આપવામાં આવ્યું છે. ડો. કૃષ્ણાએ ૧૯૭૦માં સંસ્થામાંથીએમ ટેક કયુ. તેઓ ઈન્ડો–એમઆઈએમના સ્થાપક અને સીઈઓ છે. સંસ્થાએ તેમના નામ પરથી એક શૈક્ષણિક બ્લોકનું નામ 'કૃષ્ણ ચિવુકુલા બ્લોક' રાખ્યું છે, એમ સંસ્થાએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું.૧૯૯૭માં, ડો. કૃષ્ણા ચિવુકુલા ભારતમાં 'મેટલ ઇન્જેકશન મોલ્ડિંગ નામની અત્યાધુનિક એન્જિનિયરિંગ મેન્યુફેકચરિંગ ટેકનોલોજી લાવ્યા, યારે તે હજુ પણ યુ.એસ.માં ઉભરતી તકનીક હતી. હાલમાં તેમની કંપની એમઆઈએમ ટેકનોલોજીમાં ક્ષમતા અને વેચાણની દ્રષ્ટ્રિએ વિશ્વમાં નંબર વન છે.આઈઆઈટી મદ્રાસે તેમની વ્યાવસાયિક શ્રેતા અને સમુદાયમાં તેમના યોગદાનને માન્યતા આપી. સંસ્થાએ ૨૦૧૫માં ડો. કૃષ્ણાને 'વિશિષ્ટ્ર ભૂતપૂર્વ વિધાર્થી પુરસ્કાર' એનાયત કર્યેા હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application