શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા રાત્રીના નીચે રમવા જાવ છું તેમ કહી ઘરેથી નીકળી હતી. બાદમાં મોડી રાત્રીના અજાણ્યા નંબરમાંથી પિતાને ફોન કરી સગીરાએ કહ્યું હતું કે, હું હવે ઘરે નહીં આવું મારી રાહ જોતા નહીં. જેથી આ મામલે સગીરાના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય આધેડે માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં 13 વર્ષની દીકરી છે. ગઈકાલ સાંજના સાતેક વાગ્યે આસપાસ તે ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબરમાંથી કોલ આવ્યો હતો જેથી કોલ રીસીવ કરતા સામેવાળા વ્યક્તિએ કોઈ વાત કરી ન હતી. ત્યારબાદ બે થી ત્રણ વખત આ નંબર પરથી ફોન આવતા કોલ રીસીવ કરતા કોઈ વાત કરતું ન હતું.
બાદમાં રાત્રિના આશરે નવેક વાગ્યે આસપાસ આધેડની 13 વર્ષની દીકરી નીચે રમવા જાવ છું તેમ કહી ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ તે ઘરે પરત કરી ન હતી. દરમિયાન રાત્રિના એકાદ વાગ્યા આસપાસ અગાઉ જે અજાણ્યા નંબરમાંથી કોલ આવતો હતો ફરી તેમાંથી કોલ આવ્યો હતો. જેથી આધેડે ફોન રિસીવ કરતા તેમની દીકરી વાત કરતી હતી અને તેણે કહ્યું હતું કે, હું હવે ઘરે નહીં આવું મારી રાહ જોતા નહીં. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ આ નંબર પર વારંવાર ફોન કરવા છતાં ફોન સ્વીચ ઓફ આવતો હોય જેથી આધેડે પ્રથમ પોતાના સગા સંબંધીઓને આ બાબતે જાણ કયર્િ બાદ દીકરીનો કોઈ પતો ન લાગતાં અંતે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગવડ મેળવવા શોધખોળ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech