હું આત્મહત્યા કરી તારા માતા-પિતાનું નામ લખતો જઇશ: પત્નીને પતિની ધમકી

  • May 15, 2024 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે માવતરના ઘરે રહેતી પરિણીતાએ રાજકોટમાં આંબેડકરનગરમાં રહેતા પતિ અને સાસુ સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ હાલ ઉપલેટાના ખાખીજાળીયા ગામે પિતાના ઘરે રહેતી વર્ષાબેન (ઉ.વ ૩૪) નામની પરિણીતાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટ ગોંડલ રોડ પર એસ.ટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા પતિ ધનસુખ અમૃતભાઈ ચૌહાણ અને સાસુ વાલીબેનના નામ આપ્યા છે.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૬/૬/૨૦૧૦ ના ધનસુખ ચૌહાણ સો યા હતા. લગ્નજીવન કી સંતાનમાં ૧૩ વર્ષનો પુત્ર કૃષ્ણ છે. જે હાલ તેની સો રહે છે. લગ્ન બાદ પાંચેક વર્ષ સારી રીતે રાખ્યા બાદ પતિને દારૂ પીવાની ટેવ હોય દારૂ પી ઘરે આવી ઘરકામની નાની-નાની બાબતોમાં મેણાટોણા મારી મારકૂટ કરતો હતો તેમજ સાસુ વાલીબેન અવારનવાર કહેતા હતા કે, તું તારા બાપના ઘરેી કંઈ લાવેલ ની. ઘરકામ આવડતું ની તેમ કહી શારીરિક-માનસિક ત્રાસ આપી ગાળો આપી મારકૂટ કરતા હતા. લગ્નજીવન દરમિયાન એકી વધુ વખત રિસામણે ગયા બાદ સમાધાન કરી પરત આવી જતી હતી.

દરમિયાન તારીખ ૩૦/ ૪ ના રોજ પતિના ફોનમાં કોઈ અજાણી મહિલાનો ફોન આવ્યો હોય જેી આ બાબતે પૂછતા પતિ અને સાસુએ ઝઘડો કર્યો હતો. બાદમાં પરિણીતાએ પિતાને ફોન કરી આ વાતની જાણ કરતા તેઓ તેને અહીંથી  તેડી ગયા હતા.છેલ્લા ૧૫ દિવસી તે અહીં માવતરના ઘરે રિસામણે છે.

પોતાની ફરિયાદમાં પરિણીતાએ એવું પણ જણાવ્યું હતું કે, પતિ અવારનવાર ધમકી આપતો હતો કે, તું ઘરની બહાર નીકળીશ તો હું મારી રીતે આત્મહત્યા કરી લઈશ અને તારા માતા-પિતાનું નામ લખતો જઈશ. આમ પતિ અને સાસુના ત્રાસી કંટાળી અંતે પરિણીતાએ આ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application