નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે તેઓ ટેકસના દરોને શૂન્ય સુધી ઘટાડી નાખે પરંતુ ભારત પાસે ઘણા પડકારો છે જેને પાર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, નાણામંત્રી તરીકે, માં કામ સરકાર માટે આવક પેદા કરવાનું છે અને સામાન્ય લોકોને હેરાન કરવાનું નથી અને હત્પં તમને આ ખાતરી આપું છું.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાનના ૧૧મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા નાણામંત્રીએ ભારતમાં પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કરેલા રોકાણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતના નાણાં મંત્રી હોવાના કારણે મારે ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે જેમ કે આપણા દેશમાં આવો ટેકસ કેમ લાદવામાં આવે છે?, આપણે ટેકસના દરો કેમ ઘટાડી શકતા નથી? તેના જવાબો આપવાનું મને ગમતું નથી. નાણામંત્રીએ કહ્યું કે, હત્પં ઈચ્છું છું કે હત્પં ટેકસના દરોને ઘટાડી શૂન્ય કરી નાખું. પરંતુ ભારત સામે ઘણા પડકારો છે અને આ પડકારોને પાર કરવા ખૂબ જ જરી છે. નાણામંત્રીએ કહ્યું કે, ભારતે રિન્યુએબલ એનજીર્ને અપનાવવાની પોતાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે પોતે જ રોકાણ કયુ છે, યારે આ ભંડોળ પૂં પાડવાની જવાબદારી જે સ્થાન પર હતી ત્યાંથી પૈસા આવ્યા નથી. નાણામંત્રીએ કહ્યું કે, ભારત કયાંકથી પૈસા આવે તેની રાહ જોઈ શકે નહીં. નાણામંત્રીએ કહ્યું કે ટેકસમાંથી એકત્ર કરાયેલા પૈસા સૌર અને પવન ઉર્જા પાછળ ખર્ચવામાં આવ્યા છે. નાણાપ્રધાને કહ્યું કે એવા ઘણા ક્ષેત્રો છે જેમાં ભારત રોકાણ કરી રહ્યું છે. ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત સતત નવીનતા અને સંશોધનને પ્રોત્સાહન આપી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech